________________
વીર ! મધુરી વાણી તારી
વળી જે પાણીથી સ્નાન કરવું છે તે પાણી પણ યતનાપૂર્વક ગાળેલું હોવું જોઈએ. વગેરે....
૧૦૮
આ બધી સ્નાનવિધિ સાચવીને કરાતું દ્રવ્યસ્નાન તે પ્રધાન દ્રવ્યસ્નાન કહેવાય. જેમ સ્નાન ‘વિધિ’પૂર્વકનું હોવું જોઈએ તેમ પૂજ્ય પુરુષોના પૂજા-સત્કાર વગેરે પણ ‘વિધિ’પૂર્વકના હોવા જોઈએ.
રાત ને દિવસ જે ગૃહસ્થો પાપ-પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે તેઓ જ આવા દ્રવ્ય સ્નાનના અધિકારી છે.
સંસાર એટલે પાપમય કોટડી.
ત્યાં રહેલો જીવ ગમે તેટલી ઊંચી જીવદયા પાળે તો ય
શકે.
નહિવત્ દયા પાળી
માટે જ ઉત્કૃષ્ટ કોટિની શ્રાવક જીવનની આરાધના કરનાર શ્રાવક કરતાં પણ જઘન્યકોટિની સાધુજીવનની આરાધના કરનાર સાધુ ચડિયાતો કહ્યો છે.
સંસાર એટલે ધગધગતો લોઢાનો લાલચોળ ગોળો જ જોઈ લ્યો. જ્યોં ક્યાંય પણ એને સ્પર્શે ત્યાં ગરમ જ લાગે.
ગૃહસ્થનું જીવન અગણિત પાપોથી લગભગ સતત ખરડાતું હોય. આવા ગૃહસ્થો માટે જ દ્રવ્ય સ્નાનની જરૂર છે. આશ્ચર્યની વાત છે કે અન્ય દર્શનોના અનુયાયી ઘરબાર ત્યાગીઓ પણ વારંવાર દ્રવ્ય સ્નાન કરતા રહે છે!
શું તેઓ પણ અબ્રહ્મ આદિના ગંદા પાપોથી દેહને ખરડી નાંખતા ગૃહસ્થ જેવા છે ? જો ના. તો પછી તેમને તેવા દ્રવ્યસ્નાનની શી જરૂર? કાંઈ સમજાતું નથી. ગૃહસ્થો માટે તો આ દ્રવ્ય સ્નાન જરૂરી છે; કેમ કે એ સ્નાન એમના તનમનને તાજગી આપનારું બનીને પૂજ્યોના પૂજા, સત્કાર આદિ ક્રિયાઓમાં વિશિષ્ટ ઉલ્લાસને ઉત્પન્ન કરી જાય છે.
પરંતુ સંતોના તન-મન તો સદા તાજા-માજા અને સાજા.
સદા પ્રફુલ્લ અને સદા ઉલ્લસિત ભાવે નિર્મળ.
પછી એમને એ દ્રવ્યસ્નાનની શી જરૂર?
બેશક સામાન્ય રીતે દ્રવ્ય સ્નાન કામોત્તેજક છે અને અભિમાનનું પોષક છે, બીજી બાજુ દ્રવ્ય સ્નાન જીવહિંસાનું કારણ પણ બને છે છતાં સદા કામોત્તેજક વાયુમંડળમાં રહેનારા અને જીવહિંસાદિમાં ચકચૂર રહેનારા ગૃહસ્થો માટે આવું