________________
IL
૧૦૨
વીર મધુરી વાણી તારી
સંક્ષિપ્તાર્થ द्रव्यतो भावतश्चैव द्विधा स्नानमुदाहृतम।
बाह्यमाध्यात्मिकं चेति तदन्यैः परिकीर्त्यते ।।१।। સ્નાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે, (૧) દ્રવ્ય સ્નાન (૨) ભાવ સ્નાન. અન્યધર્માવલંબીઓ તેને જ અનુક્રમે (૧) બાહ્ય સ્નાન અને (૨) આધ્યાત્મિક સ્નાન તરીકે કહે છે.
जलेन देहदेशस्य क्षणं यच्छुद्धिकारणम् ।
प्रायोऽन्यानुपरोधेन द्रव्यस्नानं तदुच्यते ।।२।। જળથી (કરાયેલું) સ્નાન કે જે ક્ષણભર દેહની શુદ્ધિનું કારણ બને છે, તે પ્રાયઃ બીજા નવા મેલને રોકવામાં અસમર્થ હોવાથી દ્રવ્યસ્નાન કહેવાય છે.
कृतेदं य विधानेने देवतातिथिपूजनम्। करोति मलिनारम्भी तस्यैतदपि शोभनम ।।३।। भावशुद्धिनिमित्तत्वात्तथानुभवसिद्धितः ।
कथञ्चिद्दोषभावेऽपि तदन्यगुणभावतः ।।४।। પાપકારી વ્યાપાર કરનાર જે ગૃહસ્થ વિધિપૂર્વક સ્નાન કરીને દેવતા-મહાદેવતીર્થકર અને અતિથિ-સાધુ સાધ્વીનાં પૂજા સત્કાર કરે છે, તેને દ્રવ્યસ્નાન પણ શોભન-લાભદાયી છે; કારણ કે તે ભાવશુદ્ધિમાં-વિચારશુદ્ધિમાં નિમિત્તરૂપ થાય છે એવો પણ અનુભવ છે તેમ જ તેમાં થોડો દોષહોવા છતાં પણ તેનાથી (સમ્યકત્વશુદ્ધિ વગેરે) બીજા ગુણોનો લાભ થાય છે.
अधिकारिबशाच्छास्रे धर्मसाधनसंस्थितिः ।
व्याधिप्रतिक्रियातुल्या विज्ञेया गुणदोषयोः ।।५।। રોગના ઉપાયોની વ્યવસ્વાસમી શાસ્ત્રમાં (કહેલી) ધર્મનાં સાધનોની વ્યવસ્થા (તેમનાં) ગુણદોષની બાબતમા અધિકારીની અપેક્ષાએ જાણવી. (તેથી દ્રવ્યસ્નાન સદોષી હોવાથી સાધુને વિહિત નથી.)
ध्यानाम्मसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् ।
मलँ कर्म समाश्रित्य भावस्नानं तदुच्यते ।।६।। જે સ્નાન ધ્યાનરૂપી પાણી વડે કર્મરૂપી મેલની અપેક્ષાએ અર્થાત્ કર્મરૂપી મેલને ધોઈને આત્માની શુદ્ધિનું કારણ બને છે, તે ભાવ સ્નાન કહેવાય છે.