________________
મહારાજ સાહેબ,
ક્યાંક મારા વાંચવામાં આવ્યું હતું કે “તમે લાખ પ્રયાસ કરો. તમારી આજુબાજુવાળાનાં દિલને ઠારતા રહેવાના પ્રયાસોમાં તમને સફળતા તો નહીં જ મળે પણ એવા પ્રયાસોમાં મળતી નિષ્ફળતા તમારા દિલને બાળતી રહેશે.
અને સાચું કહું તો આટલાં વરસોનો મારો અનુભવ આ જ રહ્યો છે. સ્વજનો-પરિચિતો અને મિત્રો, આ બધા નજીકવાળા જ ગણાય ને? એ સહુનાં દિલને પ્રસન્ન રાખવા મેં મારી જાત ઘસી નાખી છે પણ કહેવા દો મને કે બદલામાં મને હતાશા અને ઉદ્વિગ્નતા સિવાય બીજું કશું જ મળ્યું નથી.
વારંવારના આવા કટુ અનુભવો પછી મેં નક્કી કરી દીધું છે કે એ સહુને ઠરવું હોય તો કરે અને બળવું હોય તો બળે, આપણે આપણી રીતે જ જીવો. આખરે આપણી જિંદગી આપણા માટે છે. બીજાઓ માટે નથી. આપ આ અંગે શું કહો છો?
કર્તવ્ય,
કાંટો પગમાં વાગે છે પણ આંસુ આંખમાં આવે છે અને મન હાથને પગમાં પેસી ગયેલા કાંટાને કાઢી નાખવા પ્રોત્સાહિત કરે છે એ તો તારા ખ્યાલમાં હશે જ. કારણ? પગ, હાથ, આંખ અને મન એ બધા ભલે અલગ અલગ