________________
મહારાજ સાહેબ,
જે સંસારમાં અમે અત્યારે જીવી રહ્યા છીએ એ સંસારમાં જો અમારે સહી-સલામત રહેવું છે તો એક જ રસ્તે અમે સહી-સલામત રહી શકીએ છીએ અને એ રસ્તો છે, આક્રમણનો. કોઈ અમારા પર હુમલો કરે અને અમે એનો બચાવ કરીએ એ જમાના ગયા. હવે તો સામો હુમલો કરે એ પહેલાં અમે એના પર હુમલો કરી દઈએ એ જમાનો આવ્યો છે.
અલબત્ત, આપ સાધુ બની ગયા છો એટલે આપને અમારો રસ્તો પસંદ ન આવે એ હું સમજી શકું છું; પરંતુ અમારે તો ટકી રહેવા હવે આ જ રસ્તો અપનાવવો પડે તેમ છે. આપ આ અંગે કંઈક સૂચન કરશો તો આનંદ થશે.
કળશ,
તું પશુઓનાં જગતમાં જીવતો હોત અને આ અભિગમ અપનાવી બેઠો હોત તો તો હું સમાધાન કરી લેત કે ચાલો, પશુ પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા આ જ અભિગમ અપનાવે, આક્રમણનો; પરંતુ તું તો માનવજગતમાં જીવી રહ્યો છે અને છતાં આ અભિગમ પર તને ભરોસો બેસી ગયો છે ? ભારે આશ્ચર્ય થાય છે.
એક વાતનો તું જવાબ આપીશ ? આ જગત આજે થોડું-ઘણું પણ જીવવાલાયક જો લાગી રહ્યું છે તો એનો યશ કોના
e