SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ફાળે જાય છે? ક્રોધના ફાળે ? હિંસાના ફાળે? આક્રમણના ફાળે? અરે, તું પોતે તારા જીવનમાં થોડી-ઘણી પણ પ્રસન્નતા જો અનુભવી રહ્યો છે તો એનાં કેન્દ્રમાં શું છે? આક્રમકવૃત્તિ? હિંસકવૃત્તિ? હરગિજ નહીં. યાદ રાખજે. આક્રમણનો રસ્તો તો મનની પસંદગી છે. બાકી, અંતઃકરણની પસંદગી તો પ્રતિક્રમણનો રસ્તો. જ છે. એ તો એમ જ કહી રહ્યું છે કે જાણતા કે અજાણતા કોઈના ય પ્રત્યે જો દુર્ભાવ થઈ ગયો છે તો ત્યાંથી પાછા ફરી જવામાં જ મજા છે. પગમાં ઘૂસી ગયેલ કાંટાને પગમાં જ રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક ચાલવું જો સર્વથા અસંભવિત છે તો વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવને મનમાં સ્થિર રહેવા દઈને પ્રસન્નતાપૂર્વક જીવવું પણ અસંભવિત જ છે ને? ના. આક્રમણનો મનનો રસ્તો નહીં, પ્રતિક્રમણનો અંતઃકરણનો રસ્તો જ ઉપાદેય છે, પ્રશસ્ય છે, અનુમોદનીય છે.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy