________________
મહારાજ સાહેબ,
કોણ જાણે કેમ, છેલ્લા કેટલાક સમયથી મારું મન ભારે શંકાશીલ બની ગયું છે. રસ્તામાં મળી જતી કોક વ્યક્તિ મારી સામે જો ટગરટગર જોયા કરે છે તો એની દાનત પ્રત્યે તો મને શંકા જાગે જ છે; પરંતુ જાણીતી વ્યક્તિ આંખ સામે આવી જવા છતાં ય મારી સામે જો નજર પણ નથી નાખતી તો એના પ્રત્યે ય મારા મનમાં શંકા જાગી જાય છે.
અરે, હમણાં હમણાં તો મને મિત્રોની દાનત પ્રત્યે અને પત્નીની વફાદારી પ્રત્યેય શંકા જાગવા લાગી છે અને મારું મન મને એમ કહી રહ્યું છે કે આ કાળમાં કોઈના ય પ્રત્યે વિશ્વાસ મૂકવા જેવો નથી.
અલબા,
કબૂલાત કરું છું આપની સમક્ષ કે મારા આ શંકાશીલ માનસે મારી પ્રસન્નતાનું બારમું કરી નાખ્યું છે. સંબંધોની આત્મીયતામાં એક જાતની દીવાલ ઊભી કરી દીધી છે. મારા ચિત્તની રવસ્થતા હરી લીધી છે. કોઈ સમાધાન ?
પ્રક્ષાલ, ઝવેરાતની ખરીદી માટે જે વ્યક્તિ કોલસાની દુકાનમાં પહોંચી જાય છે અને સરવાળે જેમ પસ્તાવાનું જ આવે છે તેમ
૧૧