SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્નતાની અનુભૂતિ માટે જે વ્યક્તિ મન પાસે પહોંચી જાય છે એને ય સરવાળે તો રોવાનું જ આવે છે. તને એક હકીકત યાદ કરાવું? ખારાશ જેમ સાગરના પાણીમાં નથી હોતી પણ સાગર ખુદ જ ખારો હોય છે તેમ શંકા મનમાં નથી પેદા થતી, મન ખુદ જ શંકાનું પર્યાયવાચી છે. તું મન સામે પરમાત્માને ખુદને હાજર કરી દે ને? એ પરમાત્માનાં અચિન્ય સામર્થ્ય અંગેય શંકા કરવા લાગશે! તું મન સામે ઉપકારી ગુરુદેવને લાવી દે ને? એમની તારકતા અંગે ય એ શંકા કરવા લાગશે! એક જ વિકલ્પ છે પ્રસન્નતાની અનુભૂતિ માટે. મન ભલે શંકાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે. તે અંતઃકરણ પાસે ચાલ્યો જા. એ શ્રદ્ધાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે અને જ્યાં શ્રદ્ધા આવે છે ત્યાં પ્રસનતા. અનુભૂતિનો વિષય બનીને જ રહે છે!
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy