SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, મારા વાંચવામાં આવ્યું હતું ક્યાંક કે “મેઘધનુષ્યની સુંદરતા કે પુષ્પની સુંદરતા, કમળોથી વ્યાપ્ત સરોવરની સુંદરતા કેહરિયાળીથી લબાલબ બગીચાની સુંદરતા કરતાં અનેકગણી મહત્ત્વની સુંદરતા તમારા જીવનની છે અને એ સુંદરતાનું મૂળ છે તમારી પોતાની પ્રસન્નતા. બસ, મેં નક્કી કરી દીધું છે કે જીવનની પ્રત્યેક પળમાં પ્રસન્ન જ રહેવું અને પ્રસન્ન બન્યા રહેવા માટે સ્વાસ્થને સાચવી રાખવું, વિપુલ સંપત્તિના સ્વામી બન્યા રહેવું અને સત્તાની તક જ્યાં પણ મળે ત્યાં ઝડપતા રહેવું. આપને એટલું જ પુછાવવાનું કે પ્રસન્ન બન્યા રહેવા માટે આટલી ચીજો પર્યાપ્ત તો છે ને? કે પછી અન્ય ચીજોની પણ જરૂર પડે છે? વિરાગ, જીવનની સુંદરતા તું કેટલો પ્રસન્ન રહે છે એ નથી, પણ તારા કારણે કેટલા લોકો પ્રસન્ન રહે છે એ છે ! આનું કારણ છે ખુદની પ્રસન્નતા એ જ જો જીવનની સુંદરતા હોય તો રસલંપટ મીઠાઈ પામીને પ્રસન્ન રહે છે, વાસનાલંપટ સ્ત્રી પામીને પ્રસન્ન રહે છે, ધનલંપટ સંપત્તિ પામીને પ્રસન્ન રહે છે અને ભોગલંપટ ભોગ પામીને પ્રસન્ન રહે છે.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy