________________
મહારાજ સાહેબ,
જે વાતાવરણમાં હું અત્યારે જીવી રહ્યો છું એ વાતાવરણમાં એક જ ચીજની બોલબાલા છે, સંપત્તિની. જો એ તમારી પાસે વિપુલ માત્રામાં છે તો તમે શ્રીમંત તો છો જ; પરંતુ ગમે તેટલાદુર્ગુણો લઈને બેઠા હો તોય તમે સજ્જન પણ છો. તમે આગેવાન તો છો જ પરંતુ તમે આદરણીય પણ છો.
મન મારું એમ કહે છે કે સમાજમાં જો વટથી રહેવું હોય તો એક વાર ચિક્કાર પૈસા બનાવી જ લેવા જોઈએ. આપ આ અંગે શું કહો છો?
વંદન,
પત્રમાં તે ભલે લખ્યું નથી પણ એ હકીકત છે કે મનના તારા આ અવાજની સાથે તારું અંતઃકરણ સંમત તો નથી જ. જો એ પણ સંમત હોત તો તે આ બાબતમાં મારો અભિપ્રાય જાણવાની જિજ્ઞાસા વ્યક્ત ન કરી હોત. અને એ હકીકત જ છે કે મનને ભલે સંપત્તિનું આકર્ષણ છે; પરંતુ અંતઃકરણ તો સંતોષનું જ પક્ષપાતી છે.
કારણ?