________________
મન કઠિન : સંયમ સરળ
જીતવું છે? એ જ આપણું લક્ષ્ય.
સંયમજીવન !
અહીં લોચ તો કઠિન છે જ પણ સ્વાધ્યાય પણ કઠિન છે. સલ્કિયામાં એકાગ્રતા તો કઠિન છે જ પરંતુ ઉપકારીઓ પ્રત્યેનો અહોભાવ પણ કઠિન જ છે. નિત્ય ગુરુકુલવાસ તો કઠિન છે જ પણ નિત્ય ઉત્સાહ પણ એટલો જ કઠિન છે. પણ સબૂર !
આપણે પોતે જ કઠિન બની જઈએ છીએ તો પછી સંયમનું આખું ય જીવન સરળ છે. જેમ કઠિન જમીન પર પગ સરળતાથી ઊપડે છે તેમ કઠિન મનના સહારે કઠિન દેખાતું પણ સંયમજીવન ખૂબ સરળતાથી પસાર થતું રહે છે.
એક જ કામ કરજો. મનને માંદુ, માયકાંગલું કે પોચું પડવા ન દેશો. એમાં જો બેદરકાર રહ્યા તો પછી આ સંયમજીવનમાં એક પળ પસાર કરવી પણ આકરી પડી જશે.
સંયમજીવનમાં ડગલે ને પગલે એક બાબતનું આત્મનિરીક્ષણ કરતા રહેવાની જરૂર છે. આપણી આરાધનાનું સ્તર કેવું છે ? મનના ઉત્સાહની આપણી માત્રા કેવી છે? અધ્યવસાયોની વિશુદ્ધિ કઈ ઊંચાઈને સ્પર્શી રહી છે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા અંતઃકરણને એક જ પ્રશ્ન પૂછો. મોહ સામેની આ લડાઈમાં આપણે હારી જવું નથી એ આપણું લક્ષ્ય છે? કે પછી મોહને હરાવીને જીતી જવું છે એ જ આપણું લક્ષ્ય છે ?'
જો, હારવું નથી” એ આપણું લક્ષ્ય હશે તો આપણી આરાધના જોમવંતી નહીં હોય અને ‘જીતવું જ છે' એ જ આપણું લક્ષ્ય હશે તો આપણી આરાધના ભારે જોમવાળી હશે.
એટલું જ કહીશ કે ‘હારવું નથી'ના નકારાત્મક લક્ષ્યને તિલાંજલિ આપી દઈને ‘જીતવું જ છે'ના વિધેયાત્મક લક્ષ્યના આપણે સ્વામી બની જઈએ.
૧૪)