________________
દૂષણ - પ્રદૂષણ :
તુર્ત રોકો
સમ્યક્ દેષ્ટિકોણહકારાત્મક અભિગમ
છે
ચાહે વાતાવરણનું પ્રદૂષણ છે કે ચાહે અંતઃકરણનું કોક દૂષણ છે, સનાતન સત્ય એ છે કે એને જો સમયસર રોકવામાં નથી આવતું તો એ વકરતું જ જાય છે અને અંતે વિનાશ નોતરીને જ રહે છે.
પ્રદૂષણને તો આપણે એક વાર ગૌણ બનાવી દઈએ પરંતુ અંતઃકરણમાં વ્યાપેલાં ઈર્ષા, દ્વેષ, ક્રોધ, નકારાત્મક અભિગમ, આવેશ વગેરે દૂષણો અંગે આપણે આજે સચેત કેટલા ? સાવધ કેટલા?
યાદ રાખજો.
વર્તમાન જીવનમાં એ દૂષણોનો આપણે સર્વથા સફાયો તો નથી જ કરી શકવાના પરંતુ કમ સે કમ એ દૂષણોની માત્રા તો આપણે ઓછી કરી જ શકીએ છીએ. એ દૂષણોને વચનનું બળ ન આપવાનો સંકલ્પ તો આપણે કરી જ શકીએ છીએ. એ દૂષણોના પક્ષપાતથી તો મનને મુક્ત કરી જ શકીએ છીએ. એ દિશામાં આપણે પ્રયત્નશીલ ખરા?
ખાલી કોથળાને લાખ પ્રયાસ પછી ય ઊભો નથી રાખી જ શકાતો. પેટ્રોલની ટાંકી ખાલી થઈ ગયા પછી લાખ પ્રયાસેય ગાડીને ચલાવી નથી શકતી. મન ઉત્સાહશુન્ય બની ગયા પછી આરાધનાની બધી જ અનુકૂળતાઓ છતાં ય સંયમજીવન ઊભું નથી જ રાખી છે
શકાતું. આરાધનાની ગાડી આગળ નથી જ ધપાવી શકાતી. છે શું છે આ ઉત્સાહ ?
હકારાત્મક અભિગમ અને સમ્યક્ દષ્ટિકોણ આ બંને જે એક પરિબળનું સર્જન કરે છે એનું નામ છે ઉત્સાહ. - હકારાત્મક અભિગમ ‘નથ’ ને બદલે ‘છે’ તરફ જ ધ્યાનને છે
કેન્દ્રિત કરતું રહે છે અને સમ્યફ દૃષ્ટિકોણ ખરાબ' માં ય ‘સારું' || જ શોધતો રહે છે.
જવાબ આપો. સંયમજીવનને જીવનના અંત સમય સુધી || કે તાજગીસભર રાખતો આ ઉત્સાહ આપણી પાસે હાજર ખરો ?