________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે જિનેશ્વર દેવ! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે, કે આત્માનાં પરિણામોથી?'
જયંતી, મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વભાવથી હોય છે, પરિણામથી નહીં.'
પ્રભો, શું બધા જ ભવસિદ્ધક જીવો મોક્ષગામી છે?” જયંતી, જે ભવસિદ્ધક હોય છે તે બધા મોક્ષગામી હોય છે.' “તો પછી ભગવંત, જો બધા ભવસિદ્ધક જીવોની મુક્તિ થઈ જશે તો આ સંસાર ભવસિદ્ધક જીવોથી ખાલી નહીં થઈ જાય?”
હે જયંતી, તું આવું કેમ બોલે છે? જેમ સર્વાકાશની શ્રેણી હોય, તે આદિ અનંત હોય, બે બાજુથી પરિમિત હોય અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, એમાંથી સમયે-સમયે એક-એક પુદ્ગલ કાઢતાં કાઢતાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી પસાર થઈ જાય, છતાં એ શ્રેણી ખાલી નથી થતી, તેવી રીતે હે જયંતી, ભવસિદ્ધક જીવો સિદ્ધ થતા જાય, છતાં સંસાર ભવસિદ્ધક જીવોથી ખાલી ન થાય.'
ભગવંત! સમાધાન થયું. એક નવો પ્રશ્ન પૂછું છું. હે જિનેશ્વર, જીવો સૂતેલા સારા કે જાગતા સારા?' ‘કેટલાક જીવો સૂતેલા સારા, કેટલાક જીવો જાગતા સારા.' પ્રભો, એ કેવી રીતે?
હે જયંતી, જે જીવ અધાર્મિક છે, અધર્મના માર્ગે ચાલે છે, અધર્મ જેને ગમે છે, અધર્મની વાતો કરે છે, અધર્મને જુએ છે, અધર્મમાં આસક્ત છે, અધર્માચરણ કરે છે - આવા જીવો સૂતેલા રહે તે સારા! એ સૂતેલા રહે, તેથી ઘણાં પ્રાણીઓને, ભૂતોને, આવોને અને સત્ત્વોને શોક-પરિતાપનું કારણ નથી બનતા. એ સૂતેલા રહે તેથી એમની અને બીજાઓની અધાર્મિક સંયોજના નથી થતી. માટે અધાર્મિક જીવો સૂતેલા સારા.
અને હું જયંતી, જે જીવો ધાર્મિક છે, ધર્માનુસારી છે, ધર્મયુક્ત આચરણવાળા છે, તે જીવો જાગતા રહે તે સારા! આવા ધાર્મિક જીવો જાગતા રહે તો ઘણાં પ્રાણીઓને-જીવોને સુખ-શાન્તિ આપવાનું કાર્ય કરે છે. આવા ધાર્મિક જીવો, બીજા જીવોને પણ ધર્મના માર્ગે જોડે છે. એટલા માટે આવા જીવો જાગતા રહે તે સારા.
સુલતા
For Private And Personal Use Only