________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે જયંતી, એટલા માટે હું કહું છું કે કેટલાક જીવો સૂતેલા સારા અને કેટલાક જીવો જાગતા સારા.
“હે ભગવંત! આપે જે સમાધાન કર્યું તે સત્ય છે. ભગવન્! જીવોની દુર્બળતા સારી કે સબળતા સારી?”
જયંતી, કેટલાક જીવોની સબળતા સારી અને કેટલાક જીવોની દુર્બળતા સારી.”
હે ભગવન્, આપ આ રીતે કેમ કહો છો?”
જયંતી, જે જીવો અધાર્મિક છે અને અધર્મથી આજીવિકા ઉપાર્જન કરે છે, તે જીવો માટે દુર્બળતા સારી છે. આવા જીવો દુર્બળ હોય તો દુઃખી નથી થતા અને જે જીવો ધાર્મિક છે, તેઓ બળવાન હોય તો સારા. તેઓ સ્વયં સુખી થાય છે અને બીજાઓને સુખી કરે છે. એટલા માટે હું કહું છું કે કેટલાક જીવોની દુર્બળતા સારી, કેટલાક જીવોની સબળતા સારી.”
ભગવનું, જીવો કુશળ-દક્ષ અને ઉદ્યમી હોય તે સારા કે આળસુ સારા?’ જયંતી, કેટલાક જીવો ઉદ્યમી સારા, કેટલા આળસુ સારા!' એ કેવી રીતે ભગવંત?' .
જે જીવો અધાર્મિક છે, અધર્મનું આચરણ કરે છે, તેઓ આળસુ હોય તો સારું! અને જે જીવો ધર્માચરણ કરે છે, તેઓ ઉદ્યમશીલ હોય તો સારું! ધર્મપરાયણ જીવ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, નૂતન મુનિ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા-શણૂષા કરે છે.'
હે ભગવન, શ્રોત્રેન્દ્રિય પરવશ જીવ કેવાં કર્મ બાંધે છે?'
હે જયંતી, શ્રોત્રેન્દ્રિય પરવશ જીવ, ચક્ષુરિન્દ્રિય પરવશ જીવ...પાંચેય ઇન્દ્રિયોને પરવશ જીવ સંસારમાં પરિભ્રમણ કરાવનારાં પાપકર્મ બાંધે છે.'
હે કરુણાનિધાન! હે પરમેશ્વર! હે સર્વજ્ઞ-સર્વદર્શી! આપે આજે મારા પ્રશ્નોના સાચા ઉત્તરો આપી સંતુષ્ટ કરી છે. કૃતાર્થ કરી છે.
જીવનના હે અંતિમ ધ્યેય! હે જિનદેવ! તમે અહીં આવ્યા, તમારા પ્રેમભર્યા મૃદુ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા છે. દિવસોના દિવસો સુધી મેં તમારા તરફ નજર રાખી છે. તમને મળવા માટે જ જીવનની ક્ષણો અને વેદનાઓ વહી છે.
અંતઃકરણના ગૂઢમાં ગૂઢ ખૂણેથી હે પ્રિય પ્રભો! તમારી તરફ મારો પ્રેમ વહ્યો છે. મારી પાસે જે કાંઈ છે, જે કાંઈ હું છું. જે કાંઈ મારી
સુલાસા
For Private And Personal Use Only