________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈભવને નિહાળીને હું મુગ્ધ બની રહું છું. તારી એ અનંત વૈભવી સૃષ્ટિનું જીવન મારું અંતિમ જીવન હો! એ કેટલું ભવ્ય, ઉન્નત અને વિરલ છે! હવે એ જીવન પામવાની મારી અદમ્ય ઇચ્છા છે. પ્રભુની ધર્મદેશના પૂર્ણ થઈ.
શ્રમણોપાસિકા જયંતી ઊભી થઈ. તેણે પ્રભુને વંદના કરી અને કહ્યું : પ્રભો! મારા માટે આજે જીવનનું નવું પ્રભાત પ્રગટ્યું છે. મારા આત્મસખા, તમે મારી મોહનિદ્રામાંથી મને જગાડવા જ અહીં આવ્યા છો. તમે જ નાથ, આ ભવારણ્યમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવજો.
હે પ્રાણેશ્વર! દુનિયા આખી પોતાનાં નીચાં નેણ તારે ચરણે ઢાળતી, તારી ભવ્યતા પાસે જાણે સ્તબ્ધ બનીને ઊભી છે! અને નિઃશબ્દ તારાઓની દુનિયા પણ, તારા ચરણે ભક્તિભાવે વિનમ્ર બનીને શાન્ત ઊભી છે. તારી આ મહાન ભવ્યતાનો તો મને કોઈ દિવસ ખ્યાલ જ આવ્યો નહીં! હે મારા જીવનેશ્વર! હવે આ દૃશ્ય જોવા મળ્યું...હવે આ સંસારની રમત પૂરી થઈ જશે!
હે જિનેશ્વર! મારી પ્રાર્થનાને જાણીને, સાંભળીને જ આપ અહીં પધાર્યા છો. પ્રભો, મારા મનમાં કેટલાક પ્રશ્નો અનુત્તર પડેલા છે, આપની આજ્ઞા હોય તો પૂછું.'
જયંતી, તું તારા પ્રશનો પૂછી શકે છે.' “ભગવંત, જીવ ભારેપણું કેવી રીતે પ્રાપ્ત કરે છે?
હે જયંતી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ કલહ, દોષારોપણ, ચાડી-ચૂગલી, રતિ અને અરતિ, નિંદા, કપટપૂર્વક મિથ્યાભાષણ અને મિથ્યાદર્શન-આ અઢાર દોષ છે. આ દોષો આચરવાથી જીવ ભારેપણું પ્રાપ્ત કરે છે, અને ચાર ગતિમાં ભટકે
જયંતીએ બીજો પ્રશ્ન કર્યો : “હે પ્રભો, આત્મા હલકો-ફોરો કેવી રીતે બને?'
હે જ યંતી, આ અઢાર દોષો દૂર કરવાથી જીવ હલકો-ફોરો બને છે. આ અઢાર દોષ દૂર થવાથી જીવ સંસારપરિભ્રમણ ઘટાડે છે, હળવો બને છે, સંસારકાળ ઓછો કરે છે અને સંસારને ઉલ્લંઘી જાય છે.”
८४
સુલાસા
For Private And Personal Use Only