________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગયા. મેં, સૌની નજીક પહોંચી ઘૂંટણ ટેકાવી હળવેકથી મહારાજને અજગર સાથે નીચે ઉતાર્યા. મેં ઉત્તરીયથી કપાળ પરનો પરસેવો લૂછતાં બત્રીસે બત્રીસ કુમારો સામે જોયું. મહારાજનું માત્ર મસ્તક અજગરની ભીંસમાંથી છૂટું પડ્યું હતું. કાષ્ટની જેમ તેઓ નિશ્ચેતન પડ્યા હતા. આંખોં કાઢીને મેં કુમારોને (સુલસાના ૩૨ પુત્રોને) મોટેથી કહ્યું :
‘કાયરની જેમ આમ શું જોઈ રહ્યા છો?' મગધના રાજાને અજગર ગળી ગયો છે એ સાંભળીને રાજમહેલના સૌ જનો તમારા મોં પર થૂંકશે. માથે મુંડન કરાવી ગધેડે બેસાડી ઢોલ પીટીને તમારી આખા નગરમાં સવારી કાઢશે. પકડો આ હિંસક પ્રાણીને અને ભરડામાં લીધેલા સમ્રાટને મુક્ત કરો.'
ડ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌએ પ્રબળ પુરુષાર્થ કરી અજગરના ભરડામાંથી મહારાજાને મુક્ત કર્યા. મેં સૌને કહ્યું : ‘મહારાજાને ઘોડા પર મૂકો.' સૌએ મહારાજાને એક સશક્ત ઘોડા પર ઊંધા સુવાડી દીધા.
વન છોડતાં પહેલાં એક ઝરણા પાસે સહેજવાર થોભ્યા. મોં પર શીતળ પાણીનો છંટકાવ કરતાં જ મહારાજા શુદ્ધિમાં આવ્યા.
વનની સીમા પાર કરતી વખતે વામદેવે સહુને કડક શબ્દોમાં સૂચના આપી કે ‘વનમાં બનેલી એક પણ વાતની મહેલમાં જાણ થવી નહીં જોઈએ.'
For Private And Personal Use Only
સુલસા