________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારથિનાં વસ્ત્રો રંગાઈ ગયાં હતાં અને રથ હાંકવો મુશ્કેલ થઈ પડ્યો, કારણ અશ્વોની આંખોમાં ગુલાલની ગરદી ભરાઈ હતી. નગરજનો કુમારને પ્રણામ કરતા હતા. અશ્વોના પગ પાસે સોહાગણ સ્ત્રીઓએ જળનો
અભિષેક કર્યો. આખું રાજગૃહી નંદીષણના જયજયકારથી ગાજી ઊર્યું. શ્વેત અશ્વો ગુલાલથી લાલમલાલ થઈ ગયા હતા. આખા રાજમાર્ગ પર ફૂલોના ઢગલા થયા હતા. રાજગૃહીમાં ચૈતન્યમય હર્ષોન્માદ પ્રગટ્યો હતો. સન્નારીઓ, વારાંગનાઓ અને નૃત્યાંગનાઓ હર્ષવિભોર બની નૃત્ય કરતી હતી.
રથયાત્રા ગુણશીલ ચૈત્યના પરિસરમાં સમાપ્ત થઈ. રથમાંથી મહારાજા તથા અભયકુમાર સાથે નંદીષેણ નીચે ઊતર્યો. સમવસરણાનાં પગથિયાં ચઢવા માંડ્યો. પ્રભુ ત્રીજા ગઢ ઉપર મણિમઢેલા સિંહાસન પર બિરાજિત હતા. નંદીષેણે પ્રભુને વંદના કરી. ત્રણ પ્રદક્ષિણા દીધી અને પ્રભુને વિનંતી કરી. “હે ભવોદધિતારક! મને ચારિત્રધર્મ આપી, આ ભવસાગરથી તારો.”
ભગવંતે કહ્યું : “કુમાર, હજું તારું ભોગ ભોગવવાનું કર્મ બાકી છે. સંસારનાં વૈષયિક સુખો ભોગવવાનું પુણ્ય શેષ છે. માટે ચારિત્રધર્મ લેવાની ઉતાવળ ન કર.”
નંદીષણને દેવવાણી યાદ આવી. તેનું મોં કડવું થઈ ગયું. તેણે બે હાથ જોડી વિનમ્રભાવે કહ્યું : “હે કરુણાનિધિ! આપે જ કહ્યું છે કે જીવનનું અંતિમ ધ્યેય વિષયભોગ નથી. જીવનનું અંતિમ ધ્યેય છે આત્માનો પૂર્ણ પ્રકાશ! જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો પ્રકાશ! પ્રભો, આપનું મારા પર ૨ક્ષાકવચ હશે તો એ ભોગસુખો પેદા કરનારા કર્મો સામે હું ભયાનક યુદ્ધ પેટાવીશ. એ કમને શક્તિહીન કરી મસળી નાંખીશ. એ યુદ્ધમાં વાસનાઓ, વિકારો, અહંકાર, કપટ, ક્રૂરતા, વેર જેવાં રાક્ષસી તત્ત્વોને ભસ્મીભૂત કરી દઈશ. ઘોર તપથી, ઉગ્ર સાધનાથી અને દૃઢ મનોબળથી આપના બતાવેલા મોક્ષમાર્ગ પર અભય બનીને ચાલતો રહીશ!'
સૌ અવાક થઈ ગયા. હું ધ્રૂજી ઊઠી. મારી આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાવા લાગી.. મારા મુખેથી શબ્દો સરી પડયા - “ધન્ય નંદીષેણ!” મહારાજા શ્રેણિક, ભગવાન મહાવીર તરફ તીવ્ર જિજ્ઞાસાથી જોઈ રહ્યા. અભયકુમાર નતમસ્તકે ગંભીર વિચારમાં ડૂબી ગયા હતા.
સુલતા
૪૫
For Private And Personal Use Only