________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમના અટલ નિયમો પાસે કોઈનું કંઈ ચાલતું નથી. મનના અત્યંત પુરાતન ગર્ભદ્વારમાંથી આવતા ઇષ્ટ કે અનિષ્ટ આદેશ પાળનાર કેવળ એક આજ્ઞાપાલક સેવક છે!”
નાગ સારથિ બોલ્યા : “મહામાત્ય, તમે જે મનની વાત કરો છો તેના તાણાવાણા કેટલા છે? એ સમજાવો.”
“હે પૂજ્ય, તમારા મસ્તક પર રહેલા કેશ કેટલા છે તે તમે ગણી શકશો? મનના તાણાવાણા પણ એટલા જ અગણિત અને ગૂંચવાયેલા છે. કેટલાક કહે છે કે “જીવન આવા જ અભુત સુંદર તાણાવાણાથી વણાયેલું વસ્ત્ર છે, પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી.' “તો કેવું છે?' સુલતાએ પૂછ્યું :
જીવન એ મનના અસંખ્ય તાણાવાણાથી વણાયેલું એક વસ્ત્ર નથી, પરંતુ આવાં વસ્ત્રોની ન ઉકેલી શકાય તેવી ગાંઠ છે! અને તે દરેકે અંતરની આંખ ઉઘાડી રાખીને જાતે જ ઉકેલવાની છે.”
“તો પછી સંસારમાં સત્ય શું છે? તમે કહો છો તેમ જીવનની ગાંઠ જ ને?” નાગ સારથિએ પૂછયું.
નહીં, સત્ય શાશ્વત અને નિત્ય છે. અને તે આત્માના અસંખ્ય-અનંત જ્ઞાનકિરણો! અનાદિકાળથી તે કિરણો પૃથ્વીને કેવું જીવનદાન આપી રહ્યાં છે! એનું દિવ્ય સ્વરૂપ ક્યારેય બદલાયું છે ખરું? જાઓ ને જુઓ શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીરને! એમના અનંતજ્ઞાનની સરવાણી નિરંતર વહેતી રહે છે. આપણે એમાંથી જ પ્રેરણાઓ પ્રાપ્ત કરી, આપણા અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. તે લક્ષ્ય છે મુક્તિ સર્વજ્ઞ વીતરાગની વાણીથી જ મનની ગાંઠો ઉકેલી શકાશે.'
આઠ વર્ષની ઉંમર સુધીમાં સુલતાએ બાળકોના જીવનઘડતરનું કામ કરવાનું અને પછી અભયકુમારને પુત્રો સોંપી દેવાના. અભયકુમાર એમની દૃષ્ટિથી તેમને શસ્ત્રકળાઓ, યુદ્ધકળાઓ અને જીવનોપયોગી કળાઓનું અંગત દેખરેખ નીચે શિક્ષણ આપશે.
અભયકુમારનો સત્કાર કરી તેમને વિદાય આપી.
વર્ષાકાળ પૂરો થયો હતો. ભગવાન મહાવીરને રાજગૃહીથી વિહાર કરવો હર્તા, પરંતુ રાજમહેલમાં એક વિરલ ઘટના બની!
સુલાસા
For Private And Personal Use Only