________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સહુ સમવસરણ પાસે આવ્યા. મેઘકુમારને હાથી ઉપરથી નીચે ઉતાર્યો. મહારાજા શ્રેણિક અને અભયકુમાર, મેઘકુમારની બે બાજુ ચાલતા સમવસરણનાં પગથિયાં ચઢી, ભગવાન મહાવીરની સમક્ષ જઈને ઊભા ‘નો નિગાળ’ કહીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી. પછી મુગટ વગેરે બધાં આભૂષણ ઉતારી નાખ્યાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા શ્રેણિકે પ્રભુને કહ્યું : ‘હે જગદાધાર, આ મારો પુત્ર મેઘકુમાર આપની વાણી સાંભળી વૈરાગી થયો છે. તેને ચારિત્રધર્મ આપી, આપના શરણમાં લેવા કૃપા કરો.'
* વીર પ્રભુએ મેઘકુમારને દીક્ષા આપી.
* તે પછી ધર્મોપદેશ આપ્યો.
૩૮
* મહામંત્રી અભયકુમારે શ્રાવકજીવનનાં બાર વ્રત લીધાં. સમવસરણ પૂર્ણ થયું. મેષકુમાર મુનિ પ્રભુના શિષ્ય બની શ્રમણસંધમાં ભળી ગયા.
For Private And Personal Use Only
સુલસા