________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધારિણીનું મન કંઈક શાન્ત થયું. તેણે કહ્યું :
‘જ્યારે મેઘકુમાર મુનિ બનશે ત્યારે મહારાજા સમ્યગ્દર્શન ગ્રહણ કરશે. અભયકુમાર બાર વ્રત ગ્રહણ કરી શ્રાવક બનશે!’
‘એમ! તો હું પણ કાલે બાર વ્રત ગ્રહણ કરી પ્રભુનીશ્રાવિકા બનીશ...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલેથી સુલસા પોતાની હવેલીએ આવી. રથમાં એના મન ઉપર મેઘકુમાર છવાયેલો રહ્યો! હજુ તો માત્ર ૧૬ વર્ષનો તરુણ કુમાર છે...આસપાસ સુખ પથરાયેલું છે. આનંદ-પ્રમોદનાં સાધનો છે...મગધસમ્રાટના રાજકુમારને ક્યા સુખની કઈ કમી હોય? સુખોનો ત્યાગ કરવો, દુઃખમય જીવન સ્વીકારવું-એ નાના ગજાના માણસનું કામ નથી. આ માર્ગ તો શૂરવીર અને પરાક્રમી સ્ત્રી-પુરુષોનો છે! હસતે મોઢે દુઃખોની સામે જઈ દુઃખોને આહ્વાન આપવાનું જીવન છે!
૨૮
મારા પ્રભુ ખરેખર મેઘકુમારને મળ્યા, મેધકુમારે પ્રભુને મેળવ્યા! પ્રભુના સંગમાં જીવન જીવવાની અનેક ઉદ્દીપ્ત ભાવનાઓ એનામાં જાગી ગઈ! એ પ્રભુનું પૂર્ણ નૈકચ પ્રાપ્ત કરશે!
એનો દીક્ષામહોત્સવ જોવાનો લહાવો જરૂ૨ મળશે!
35
For Private And Personal Use Only
સુલસા