________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પાંચ કલ્યાણક ઊજવાશે. તીર્થકરરૂપે પૃથ્વી પર વિચરી લાખો-કરોડો જીવોને પરમસુખનો માર્ગ બતાવશે. આયુષ્ય પૂર્ણ થતાં તેમનું નિર્વાણ થશે!” ગૌતમસ્વામીએ કથન પૂર્ણ કર્યું, ત્યાં જ બે આર્યાઓ નગરમાંથી આવી, ગૌતમસ્વામીને વંદન કરી નિવેદન કર્યું :
હે પ્રભો, મહાશ્રાવિકા સુલતાનું અનશન પૂર્ણ થયું. તેમણે મૃત્યુનો મહોત્સવ ઊજવ્યો. સમાધિમૃત્યુ પામ્યાં, અને અમે અહીં આવ્યાં છીએ.”
અંબડ પરિવ્રાજક તુલસાની જ્વલંત ચેતનાને પ્રણામ કરી, એના ધર્મપૂત દેહ ઉપર પુષ્પાંજલિ મૂકી આકાશમાર્ગે સ્વસ્થાને ચાલ્યો ગયો.
પરમ શ્રાવિકા, પ્રભુ વીરના હૃદયમાં વસેલી મહા પ્રેમિકા સ્વર્ગલોકમાં પહોંચી ગઈ.
૨૫૦
સુલાસા
For Private And Personal Use Only