________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબડ પરિવ્રાજક (અંતિમ આરાઘના)
ગ્રીષ્મકાળ હતો. જ્યેષ્ઠ માસ હતો. ગરમાગરમ હવા વહી રહી હતી. ધરતીમાંથી તાપની વરાળો નીકળતી હતી, ત્યારે કાંપિલ્યપુરમાં મહાશ્રાવક શક્તિનિધાન પરમ વિરક્ત અંબડ પરિવ્રાજક પોતાના ૭૦૦ શિષ્યો સાથે પુરિમતાલ-પ્રયાગતીર્થ તરફ જવાની તૈયારી કરતા હતા.
તેમણે પદયાત્રા શરૂ કરી. જે અટવીમાંથી પસાર થવાનું હતું તે અટવી નિર્જન હતી અને અન્ય વન્યપશુઓથી માર્ગ વિકટ હતો. સંન્યાસીઓ પીવા માટે પાણી સાથે લઈને નીકળ્યા હતા, પરંતુ આઠ-દસ ગાઉ જતાં જતાં પાણી ખૂટી ગયું. સંન્યાસીઓને તીવ્ર તૃષા લાગી. તૃષાથી સહુ વ્યાકુળ બન્યા.
અંબડ પરિવ્રાજ કે કહ્યું : “હે સત્ત્વશીલ સાધકો, આ નિર્જન અટવી હજુ તો આપણે થોડી જ પાર કરી છે. આપણું લાવેલું પાણી ખલાસ થઈ ગયું છે, તો તે દેવાનુપ્રિય, એ જ સુખકારી છે કે આ અટવીમાં ચારેય દિશામાં આપણે જળદાતાને શોધીએ.' પરિવ્રાજ કો અટવીની અંદર ફરી વળ્યા, કોઈ પણ જલદાતા ન મળ્યો.
અંબડે કહ્યું : “હે દેવાનુપ્રિયો, પહેલી વાત તો એ છે કે આ અટવીમાં કોઈ જલદાતા આપણને મળ્યો નથી. બીજી વાત, આપણાથી અદત્ત જળ ગ્રહણ કરાય નહીં! કારણ કે અદત્ત જળ પીવું એ આપણી મર્યાદાની બહારની વાત છે. આપણો એ દઢ નિશ્ચય છે કે ભવિષ્યમાં પણ અદત્ત જળ ગ્રહણ નહીં જ કરીએ. પાન નહીં કરીએ. જો આપણે અદત્ત જળ ગ્રહણ કરી તેનું પાન કરીએ તો આપણું ધર્માચરણ નષ્ટ થઈ જશે.
માટે હે આરાધક આત્માઓ, આપણે ગંગાને પાર કરી, એની પવિત્ર રેતીનો સંથારો બિછાવી “પાદપોપગમન' અનશન કરીએ. એ માટે ગંગાના આ કિનારે, આપણી પાસે જે ચૌદ વસ્તુઓ છે તેનો ત્યાગ કરી ગંગાની સામે પાર જઈએ.
આપણે ૧. ત્રિદંડ, ૨, કમંડલ, ૩. રૂદ્રાક્ષમાલા, ૪, માટીનું પાત્ર, ૫.
સુલસી
૨૫૧
For Private And Personal Use Only