________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઘુતા મુજ દઢપણે હું માનતો તવ થકી,
ક્યું અનશન વ્રત થકી થાજો પ્રયાણ મુદા હું પણ ચાલું તવ પથ પર હવે, વાત ના થઈ શકી. કરો શુદ્ધિ, આત્મરક્ષા, તવ પૂર્ણ સામર્થ્યથી પ્રભુ વરની તું શ્રાવિકા કે કહું પ્રેમિકા? ભગિનીા આવ્યો તવ કુશળતા પૂછવા,
કરી સ્મૃતિ મારી વચન પાળ્યું હે દીપિકા! અંબડ પરિવ્રાજકનું શરીર રોમાંચિત થઈ ગયું હતું. એનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો હતો. ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યાથી અતિ કૃશકાય સુલતાને જોઈને એની આંખો ભીની થઈ ગઈ હતી.
સુલસાએ એકવાર અંબડને મૈત્રીભાવભરી દૃષ્ટિથી જોઈને આંખો બંધ કરી દીધી હતી. સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલરૂ૫, સર્વે પાપોનો નાશ કરનાર, સર્વ સુખોને આપનાર પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું એ પોતાના મનમાં પૂર્ણ એકાગ્રતાથી સ્મરણ કરતી રહી.
અંબડ પરિવ્રાજક શ્રી ગૌતમસ્વામીને વંદન કરવા ગયો, વંદન કરીને એ ગુરુચરણે બેઠો. અંબડના મનના ભાવ જાણીને ગૌતમસ્વામીએ અબડને કહ્યું : “અંબડ, સુલતાએ આત્મસાક્ષીએ અને ગુસાક્ષીએ નિર્ધામણા કરી, ઉત્કૃષ્ટ ધર્મારાધના કરી...એ કરતાં કરતાં એના સમભાવમાં ભરતી આવી, એના મનના અધ્યવસાયો વિશુદ્ધ થયા છે અને હમણાં એણે તીર્થકર નામકર્મ બાંધી લીધું છે!
અંબડ આશ્ચર્યચકિત થયો...સંભ્રમથી તે ઊભો થઈ ગયો! ‘ભગવંત! એ ક્યારે ને કયાં તીર્થકર થશે?'
હે પરમ શ્રાવક, તુલસીનું હૃદય વૈરાગ્યભાવથી છલકાઈ રહ્યું છે. અત્યારે તે વીર પરમાત્માના ચરણ-કમલનું પોતાના હૃદયમાં ધ્યાન કરી રહી છે. તેનો શ્રદ્ધા ગુણ ઉત્કૃષ્ટ બન્યો છે. એનું અનશન પૂર્ણ થશે. આ માનવદેહના જીર્ણ ફ્લેવરનો ત્યાગ કરી, મનુષ્યજન્મનું આયુષ્ય પૂર્ણ કરશે. એનો આત્મા સર્વ સુખોના સ્થાનરૂપ દેવગતિમાં પ્રભાવશાળીદેવ બનશે.
દેવભવમાં દિવ્ય સુખ ભોગવીને, ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં આ જ ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીમાં (ઉત્સર્પિણી કાળમાં) પંદરમા “નિર્મમ” નામના તીર્થકર થશે. એમનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ
સુલતા
૨૪૯
For Private And Personal Use Only