________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા, અને શરીર રોમાંચિત થાય એટલે મને પ્રભુ પધાર્યાનો આભાસ થાય. આવું અનેકવાર બન્યું છે.”
અદ્ભુત્! અદ્ભુત! હે તુલસા, તારો આત્મભાવ પરમાત્મા સાથે પ્રગાઢપણે બંધાઈ ગયો હોય ત્યારે જ આવી ઘટના બને! આમ તો હું પણ પ્રભુનો જ ભક્ત છું. તેમનો જ ઉપાસક છું. તેમના બતાવેલા ગૃહસ્થધર્મને પાળું છું. બાર વ્રતો મેં ધારણ કરેલાં છે, છતાં મેં તારા જેવું સંવેદન ક્યારેય અનુભવ્યું નથી. આ તારા આત્માની અદ્વિતીય વિશેષતા છે. આવા અગમઅગોચર પ્રેમે જ પ્રભુને પ્રેરિત કર્યા હશે ને તને “ધર્મલાભ' કહેવડાવ્યા હશે. બાકી, આ જ રાજગૃહીમાં પ્રભુના હજારો ભક્તો છે. એમાંથી કોઈને “ધર્મલાભ' ન કહેવડાવ્યા, તને જ કહેવડવ્યા, એનું સાચું કારણ સમજાયું!”
હે મહાશ્રાવક, મારે તો એક જ નિર્ધાર છે : પ્રભુમય બની જવું! વીરની વાટે વાટે જાવું હો આતમા વીરની વાટે વાટે જાવું. ભીતરનો સૂર ઘરો હેજ મળે જો વિકસે છે મારાં રોમરોમ. ભલે ને હોય ઘણાં વમળો વિષાદનાં જાયે ના મારું મન-જોમ. મારે તો તુમ સમ થાવું ઓ આતમા! વીરની વાટે વાટે જાવું. પ્રાણ મુજ જાગ્યા, સફળ મુજ જિંદગી પણ હું પૂછું કે તડપાવશો ક્યાં લગી? મારે તો નામ તુમ હાલું ઓ આતમા, વીરની વાટે વાટે જાવું... નથી કોઈ આશા દુનિયાના સુખની, મારી આશા છો તમે એક નથી કોઈ ભય મને કર્મોનાં દુઃખનો, મારી તો આપ એક ટેક! નિશદિન હું તમને ધ્યાવું હો આતમા વીરની વાટે વાટે જાવું....
અંબડને સુલસાનું સૌમ્ય, શીતલ અને સુશીલ વ્યક્તિત્વ ગમી ગયું. તેણે મનોમન પ્રભુ મહાવીરનો મહાન ઉપકાર માન્યો, આવી પરમ શ્રાવિકાના દ્વારે મોકલીને! પ્રભુએ પોતાને સંદેશવાહક બનાવીને મોકલ્યો, તેને એક અપૂર્વ ઘટના માની ખૂબ પ્રસન્ન થયો. “શ્રદ્ધાનું પરમ તત્ત્વ સમજાવવા જ જાણે પ્રભુએ મને અહીં મોકલ્યો છે! આ વાત તો નિશ્ચિત લાગે છે. સુલસાની પ્રેમસભર શ્રદ્ધા અદ્વિતીય છે. મારું મસ્તક નમી પડે છે...”
શું ગંભીર વિચારમાં પડી ગયા?' સુલસાએ અંબડની વિચારધારા તોડી, તમારા જ વિચાર! હા, તમારા! પ્રભુએ મને તમારી પાસે મોકલીને મારા પર કેવો મહાન
સુલાસા
૨૩૫
For Private And Personal Use Only