________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાંય તારી પરમાત્મપ્રીતિ-ભક્તિ તો અનન્ય છે. તું અતિ વિરલ વિભૂતિ છે. “મહાવીર સિવાય કોઈ નહીં!' આ તારી સહજ પ્રીતિ છે, સહજ ભક્તિ છે. એમાં પછી કોઈ બીજાનો પ્રવેશ નહીં! પોતાના ભીતરમાં જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા! તારી ભક્તિમાં ભીનાશ છે, આદ્રતા છે. ભક્તિનો પ્રદેશ ભીનો છે. એમાં રસ છે, શુષ્કતા નથી. ભક્તિ એટલે નરી ભાવસમાધિ!
મારી ભગિની! તારામાં ભક્તિભાવની નમ્રતા છે અને ભક્તિભાવની ઉત્કૃષ્ટતા છે. તે પૂર્ણરૂપેણ મહાસતી છે. તે અવિકારી બની ગઈ છે. જન્મમૃત્યુ, જરા-વ્યાધિના દુઃખના ચકરાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો સંસાર પ્રત્યે અવિકારી-અનાસક્ત બનવું જ પડે. તું બની છો. તારું મન પ્રભુમાં એકાગ્ર છે, અચળ છે ને અવિચળ છે.
દેવી, મહાસતી, હું રાધાના કૃષ્ણપ્રેમ કરતાં પણ તારો વીરપ્રેમ ચઢિયાતો માનું છું, કૃષ્ણ રાધાને પ્રેમ કરતા હતા અને રાધા કૃષ્ણને પ્રેમ કરતી હતી,
જ્યારે અહીં તો પ્રભુ વીતરાગ છે, એ તારી સાથે પ્રેમ નથી કરતા, છતાં તું એમને અપાર પ્રેમ કરે છે! તારો પ્રેમ એકપક્ષીય છે! | હે મહાશ્રાવિકા, હું ચંપાનગરીમાં ગયો હતો. હું પ્રભુનાં ચરણોનો દાસ
છું...એમનાં ચરણોની રજ છું. એમનો જ ચાહક છું. પ્રભુ સમવસરણમાં બિરાજેલા હતા. સમવસરણમાં દેવો હતા, દેવેન્દ્ર અને નરેન્દ્ર હતા. હજારો સ્ત્રીપુરુષ હતાં. ત્યાં મેં ધર્મની દેશના સાંભળી. પછી ઊભા થઈ ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રભુને નમસ્કાર કરી ઊભો રહ્યો. મારા મનમાં રાજગૃહી આવવાનો વિચાર હતો. ભગવંત તો અંતર્યામી! એમણે મને કહ્યું : “હે અંબડ, તું રાજગૃહી જવાનો છે ત્યાં રહેલી સુલસા શ્રાવિકાને ઘેર જઈને, મારા વચનથી એને “ધર્મલાભ' ના આશીર્વાદ આપજે. હું ‘તહત્તિ” કહીને ત્યાંથી નીકળી આકાશમાર્ગે અહીં આવ્યો. “હે સુલસા, તું શ્રેષ્ઠ પુણયશાળી છે! તને પ્રભુએ શ્રીમુખે ધર્મલાભ કહેવરાવ્યા!'
અંબડના મુખે પ્રભુના “ધર્મલાભ' સાંભળી, સુલસાના રોમેરોમે દીવા પ્રગટી ગયા... નસેનસમાંથી વીણાના સૂરો વહેવા લાગ્યા. તેની આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાવા લાગી. તે ઊભી થઈ ગઈ અને મેઘગર્જના સાંભળી મયૂરી નાચી ઊઠે તેમ સુલસા નાચી ઊઠી. તેનું મુખકમળ ખીલી ઊડ્યું અને ત્યાં જ તેના મુખેથી સ્તવના વહેવા લાગી.
૨૨૬
સુલાસા
For Private And Personal Use Only