________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ સુલસા, લાખો માણસો વિષ્ણુ ભગવાનને માને છે. એમના ઉપદેશને માને છે, એ બધા શું અજ્ઞાની હશે?”
કોને કેટલા માને છે-એ તત્ત્વનિર્ણય કરવાનું માપ નથી. બુદ્ધિમાન પુરુષે સ્વયે સાચા-ખોટાન, તત્ત્વ-અતત્ત્વનો નિર્ણય કરવાનો હોય છે. ધર્મનું તત્ત્વ કુશાગ્ર બુદ્ધિથી સમજાય એવું તત્ત્વ છે. બાકી દુનિયા તો ગતાનુગતિક છે! આ આપણા મગધમાં કેટલા યજ્ઞ-યાગ થતા હતા? કેટલાં હજારો નિર્દોષ પશુઓ એમાં હોમાતાં હતાં? પછી તો પિતૃમધ યજ્ઞ” અને “માતુમેધ યજ્ઞ” પણ શરૂ થયા હતા ને? “જેને સ્વર્ગમાં જવું હોય તે યજ્ઞ કરે...' એવો ઘોર હિંસાનો ઉપદેશ ધર્મના નામે અપાતો હતો. સ્વાર્થી લોકો અજ્ઞાની ને ભોળા લોકો પોતાનાં વૃદ્ધ માતા-પિતાને સ્વર્ગમાં મોકલવા યજ્ઞ કરવા લાગ્યા હતા! માતા-પિતાને ભડભડતી આગમાં રોતાં-કકળતાં નાખતા હતા. એ તો ભગવાન મહાવીરે અહિંસા-ધર્મનો જોરશોરથી પ્રસાર કર્યો. રાજાઓને અહિંસક બનાવ્યા, શ્રેષ્ઠીઓને, બ્રાહ્મણોને અને ક્ષત્રિયોને અહિંસક બનાવ્યા, ત્યારે યજ્ઞ-યાગ ઓછા થયા.” સખીઓ સમજી ગઈ. ચાલી ગઈ.
વિષ્ણુ ભગવાન સુલતાને શોધે છે! પણ સુલસા દેખાઈ નહીં. મનોમન તેઓ ખૂબ આનંદિત થયા. ધન્ય સુલસા! તારો વીર પ્રેમ.તારી સદ્ધર્મ શ્રદ્ધા સાચી!
શરદઋતુના પૂર્ણ ચંદ્રનાં દર્શન કરીને સુતેલો પ્રવાસી. ગ્રીષ્મના સહસ્રરશ્મિ સૂર્યનાં દર્શન કરતો જાગે ને જેટલું આશ્ચર્ય અનુભવે, એટલું જ આશ્ચર્ય રાજગૃહીનાં હજારો સ્ત્રી-પુરુષો પશ્ચિમ દરવાજે પધારેલા મહેશ્વર-શંકરને બિરાજમાન થયેલા જોઈને અનુભવી રહ્યા.
આખા શરીરે ભસ્મનું વિલેપન! જટામાં ગંગા! મસ્તકે ચંદ્ર! પાસે પાર્વતી! કંઠમાં મનુષ્ય-ખોપરીઓની માળા! લલાટે જાજ્વલ્યમાન ત્રીજું નેત્રા હાથમાં ડમરું અને ત્રિશુળ! ચારે બાજુ નંદી, ચંડી આદિ ગણ! શરીર પર હાથીના ચામડાનું આવરણ! ડમક...ડમક ડમરુંનો ધ્વનિ! પૃથ્વીને ધણધણાવતા પાય અને પ્રચંડ પ્રલયકારી તેજથી ઝળહળતાં નેત્રો!
ભગવાન શંકર શૈવશાસ્ત્ર સંભળાવવા લાગ્યા. “હે નગરવાસીઓ, આ પૃથ્વી બ્રહ્માએ પેદા કરી, વિષ્ણુએ પાલન કર્યું....અને હવે હું એનો નાશ
સુલાસા
૨૧૫
For Private And Personal Use Only