________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨L
હતો. એમની નીલવર્ણી આંખોમાંથી ટપકી પડેલાં એ અશ્રુબિંદુ રક્તવર્ણા ગાલ પર થઈ મારા પગ પર સરી પડ્યાં, એ બળબળતા અંગારા સમાં હતાં. મોં ફેરવી લઈ, ઉત્તરીયથી આંસુ લૂછતાં તેમણે કહ્યું હતું : “બત્રીસે પુત્રો આપણને છોડીને ચાલ્યા ગયા. સુલસા, મારા પ્રાણ કેમ ચાલ્યા જતા નથી?' એ વખતે અભયકુમારે અમારું દુ:ખ હળવું કરવા કેટલી સારી વાતો કરી હતી!
અમારું દાંપત્યજીવન સુખી હતું. મને મહારાજા શ્રેણિક પ્રત્યે અને અભયકુમાર પ્રત્યે આદરભાવ હતો. કેમ કે એમની મહેરબાનીથી જ અમે ફાલ્યાંકૂલ્યા હતાં. પ્રત્યેક પ્રસંગે તેઓ મારા પતિને અને રાણીઓ મને યાદ કરતી. આ બધું હોવા છતાં મને એક વાત સતત ખટકતી હતી. મારા જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું. ત્યાં પ્રભુ વીરનાં દર્શન થયાં. પ્રભુ મને મળ્યા અને જે ખટકતું હતું તે દૂર થઈ ગયું. મારા ભીતરમાં દીવા પ્રગટી ગયા! હું તો પહેલાં જ દર્શને એમના પર વારી ગઈ હતી.
વીરજીને આજ હું તો વારી ગઈ સખી! સૂરમાં આવે છે સાદ મનમાં હતું કે હાશ ઘરમાં રહીશ, મેલી વનમાં જવાનો ઉન્માદ ત્યાં તો જુઓને સંભળાયો ધ્વનિ મારું તે કેટલું ચાલે? એવું મેં સાંભળ્યું “ગુણશીલ માં વીર સમવસરણમાં મ્હાલે જાણો જો કોઈ તમે વીરજીનો મારગ, તો મુજને બતાવી દિયો દાદ, વિરજીને આજ હું તો વારી ગઈ સખી, સૂરમાં આવે છે સાદ! જઈને લપાઉં જરા “ગુણશીલ'ની કુંજમાં ને મુખડાનું જોઈ લઉં સ્મિત! કંઠે આરોપી દઉં માળા વનફૂલની ને ચૂમી લઉં ચરણો પુનિત કહીં દઉં કે વાગે તવ દુંદુભિ આ પ્રાણમાં, સાંભળી લે એનો તું નાદ વીરજીને આજ હું તો વારી ગઈ સખી! સૂરમાં આવે છે સાદ.
ફૂલ ઉપવનમાં ખીલે છે કે મનના આંગણામાં? સુવાસ ફૂલની પાંખડીમાં હોય છે કે મનની પાંખડીમાં? કુહૂની તાન કોકિલના સ્વરમાં હોય છે કે
સુલતા
૨૦૭
For Private And Personal Use Only