________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ને નિશ્ચયાત્મકપણે! અને જીવનના અંત સુધી એનું જ અવલંબન રહેશે. લોકોને જે કહેવું હોય તે કહે.'
કોણિકે રાજપરિવાર સાથે રાજગૃહી છોડી ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. રાજમહેલો નિર્જન થયા. જાણે કે રાજગૃહીનો વૈભવ ચાલ્યો ગયો. રાણી ચેલણા પણ કોણિકની સાથે ચંપા ગયાં. આ રીતે રાજગૃહીમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો.
મહારાજા શ્રેણિકનું મૃત્યુ થયું.
મગધદેશની રાજધાની ચંપાનગરી બની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસા
સુલસાને બધું સૂનું સૂનું લાગ્યું. ચેલણા સાથે થયેલી વાતો ઉપર ખૂબ વિચારતાં એનું મન વિહ્વળ બની ગયું હતું.
‘અનુભવે મને સમજાયું હતું કે કેટલીક ઘટનાઓ અટલ હોય છે. જોકે એ પણ એટલું જ સત્ય છે કે કેટલીક ઘટનાઓનાં પરિણામ ટાળી શકાય છે. માત્ર એ માટે માથાસાટે પ્રયત્ન કરવો પડે. ઘટનાઓની અવનવી ધારા વરસતી હતી. પ્રશ્નોના નવા નવા અંકુરો ફૂટતા હતા. છતાં મનને શાન્ત રાખવું મારે જરૂરી હતું. હું સૂનમૂન થઈ ગઈ હતી. પહેલી વાર નિરાશાનાં પંખી મનના પ્રાંગણમાં ઊતરી આવ્યાં હતાં. હતાશ મનને શાંત કરવાનો એક જ ઉપાય હતો – પ્રભુ વીરની શરણાગતિનો.
પરંતુ શ્રાવસ્તિથી પણ અશુભ સમાચાર આવ્યા. હું ધ્રૂજી ઊઠી...મારા રોમેરોમે આગ લાગી ગઈ...મારા પ્રભુ ઉપર એમના જ એક વખતના શિષ્ય, અને પ્રભુએ જ શીખવેલી તેજોલેશ્યા, એણે પ્રભુ ઊપર મૂકી...પ્રભુના શિષ્યો સર્વાનુભૂતિ અને સુનક્ષત્રને તો તેણે તેજોલેશ્યાથી ભસ્મીભૂત કરી દીધા...પછી તેજોલેશ્યા પ્રભુ ઉપર છોડી...પરંતુ પ્રભુ તો તીર્થંકર છે! તેજલેશ્યાએ પ્રભુને પ્રદક્ષિણા દીધી અને તે ખુદ ગોાલકના શરીરમાં પ્રવેશી ગઈ. ઠીક છે, ગોશાલકનું જે થવાનું હશે તે થશે...પણ મારા પ્રભુના શરીરની કાન્તિ ઝંખવાઈ ગઈ છે અને તેમને લોહીના ઝાડા થાય છે...અરર...આ શું થયું? દુનિયાના રોગોને ઉપશાન્ત કરનારા પ્રભુને આવી અશાતા? દુનિયાને પરમસુખના માર્ગે દોરનારા મારા પ્રભુના શરીરે આવું ઘોર દુઃખ?'
જ્યારે પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા, ગોશાલક તેમની સાથે હતો
For Private And Personal Use Only
૧૯૩