________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રથી ભીંજાયેલું ભોજન પોતાના હાથે દૂર કરી, બાકીનું ભોજન એ જ થાળમાં એ ખાવા લાગ્યો. પુત્રપ્રેમથી એવું ભોજન પણ એને ભાવ્યું! હું ત્યાં જ બેઠી હતી. કોણિકે મને પૂછ્યું : “હે માતા, કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો કે અત્યારે હશે?”
ત્યારે મેં એને આક્રોશભર્યા શબ્દોમાં કહ્યું : “અરે પાપી, અરે કુળાધમ, તું તારા પિતાને આના કરતાં પણ વધુ વહાલો હતો. તું જ્યારે મારા પેટે આવ્યો હતો ત્યારે મને ખૂબ ખરાબ દોહદ થતા હતા. સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ ઇચ્છાઓ થતી હોય છે. મારી ઇચ્છાઓના આધારે મેં નક્કી કરેલું કે આ પુત્ર જન્મીને એના પિતાનો વૈરી થશે. તેથી, મારા પતિના કલ્યાણની ઇચ્છાથી ગર્ભપાત કરવા અનેક ઉપાયો કર્યા હતા, પરંતુ તે બધાં
ઔષધીથી તું મર્યો તો નહીં, ઉપરથી પુષ્ટ થયો! કહેવાય છે કે બળવાન પુરુષોને બધું પથ્ય બને છે!' તારા પિતા, પુત્રમોહના લીધે મારા ખરાબ દોહદ પણ પૂર્ણ કરતા હતા.
પછી તું જ્યારે જન્મ્યો, ત્યારે મેં તને દાસી દ્વારા નગરની બહાર ઉકરડામાં નંખાવી દીધો હતો. “મારે મારા પતિનો વેરી પુત્ર ન જોઈએ...” એ મારો નિર્ણય હતો. પણ તારા પિતા તને પાછો લઈ આવ્યા. ઉકરડામાં કૂકડીએ તારી એક આંગળી વીંધી નાંખી હતી, તે પાકી ગઈ હતી. તેમાં જીવડાં પડ્યાં હતાં. તને અત્યંત પીડા થતી હતી અને તે જોરજોરથી રડતો હતો. એ વખતે તારા પિતા તારી એ વચલી આંગળી પોતાના મુખમાં રાખતા હતા અને ત્યાં સુધી તેને સારું લાગતું હતું. હે હીનચારિત્રી, આવી રીતે તારા પિતાએ કષ્ટ સહીને તને મોટો કર્યો...તેનો બદલો તેં તારા એ પુત્રવત્સલ પિતાને કારાવાસમાં નાખીને આપ્યો.'
કોણિકે મને પૂછ્યું : “હે માતા, મારા પિતાએ મને ગોળના મોદક મોકલ્યા હતા અને હલ્લ-વિહલ્લ ને ખાંડના મોદક મોકલ્યા હતા, તેનું શું કારણ?' મેં કહ્યું : “અરે મૂઢ, તું તારા પિતાનો દ્વેષી છે, એમ જાણીને મેં તને ગોળના મોદક મોકલ્યા હતા, તારા પિતાએ નહીં.”
કોણિક ઊભો થઈ મારા પગમાં પડી ગયો અને બોલ્યો : “મેં ખૂબ અવિચારી કાર્ય કર્યું છે. હું પાપ છું. હું મારી જાતને ધિક્કારું છું. હે માતા, હું હમણાં જ કારાવાસમાં જાઉં છું. પિતાજીની બેડીઓ તોડી, તેમની ક્ષમા માગી, રાજ્ય તેમને સોપી દઉં છું.
સલસી
૧૮૯
For Private And Personal Use Only