________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચી ગઈ. ચેલણાને ખૂબ સાત્ત્વના આપી. પણ જીવનની આવી પળોમાં શબ્દો કેટલું સાંત્વન આપી શકે? છતાંય જિનવચનોનો એ પ્રભાવ હોય છે કે બળબળતા રણમાં જેમ મીઠી વીરડીનું પાણી શીતલતા આપે, તેમ ધોર પીડામાં, ભયંકર દુ:ખોમાં જિનવચનો જ હૃદયને શાતા આપી શકે છે. એમાંય સુલસાના મુખે વીરવચનો સાંભળે એનાં બળતાં કાળજાં ઠરે જ. સુલસા વીરમયી હતી. પ્રભુ વીરનાં વચનો એણે આત્મસાત્ કર્યા હતાં. તેણે ચેલણાને તો સમતા પમાડી, પરંતુ સ્વયં ઊંડા વિચારોમાં ઊતરી ગઈ,
પ્રભુ વીર મગધમાં જ વિચરે છે. તેઓ કેવળજ્ઞાની છે. ચરાચર વિશ્વને પ્રત્યક્ષ જુએ છે જાણે છે. મહારાજા શ્રેણિક સાથે કોણિકે કરેલો દ્રોહ, વિશ્વાસઘાત અને તાડન-મારણ આદિ તેઓએ જાણ્યું હશે, જોયું હશે. તો પછી પ્રભુ રાજગૃહી કેમ ન પધાર્યા? શ્રેણિકની રક્ષા કેમ ના કરી? તેમની સેવામાં કરોડ-કરોડ દેવો હોય છે. દેવેન્દ્ર પણ તેમના ચરણોને સેવે છે...છતાં પ્રભુ કેમ દૂર રહ્યા? પ્રભુએ શ્રેણિક જેવા પરમ ભક્ત શ્રાવકની રક્ષા કેમ ન કરી? પ્રભુ ક્ષેમંકર કહેવાય છે. પરંતુ, એક વાત હું ભૂલી ગઈ...પ્રભુ વીતરાગ છે! તેમને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી...તેમને શ્રેણિક પ્રત્યે રાગ ન હોય કે કોણિક પ્રત્યે દ્વેષ ન હોય, તે સ્વાભાવિક વાત છે. છતાં પ્રભુ કરુણાના તો સાગર છે જ! પ૨૬ રવિનાશિની '.
બીજાનાં દુઃખોનો નાશ કરવાની પ્રબળ ભાવનાથી તો તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું! અહીં દુઃખી-દુ:ખી થઈ ગયેલા શ્રેણિકનું દુઃખ દૂર કરવા માટે પ્રભુએ કેમ કોઈ ઉપાય ન કર્યો?
સુલસા મૂંઝવણમાં પડી. એણે આંખો બંધ કરી બે ક્ષણ પ્રભુ વીરનું ધ્યાન કર્યું અને જ્ઞાનનો પ્રકાશ વહી આવ્યો.
શ્રેણિકનાં નિકાચિત પાપકર્મોનો ઉદય હતો. નિકાચિત પાપકર્મો તો ભોગવવાં જ પડે. ભોગવવાથી જ ખપે! વળી, એની નિયતિ હતી નરકમાં જવાની! નિયતિ એટલે નિયતિ! ભવિતવ્યતા! ભવિતવ્યતાને તીર્થંકર પણ મિથ્યા ન કરી શકે. શ્રેણિકના માટે નરકમાં જવાનું નક્કી હતું. એટલે મૃત્યુ સમયે “કૃષ્ણલેશ્યા” આવે જ! હા, ક્ષાયિક સમકિતીને પણ કૃષ્ણલેશ્યા નરકમાં લઈ જાય! સમ્યગ્દર્શનના ચોથા ગુણસ્થાનકે કૃષ્ણલેશ્યા આવી શકે છે ને જીવને નરકમાં લઈ જઈ શકે છે! નરકગતિનું આયુષ્ય તો તેમણે
૧૮૬
સુલાસા
For Private And Personal Use Only