________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનો દિગંતવ્યાપી યશ અને પ્રભાવ જોયો હતો. તેમની મધુર વાણીની મોહિની પણ મને લાગી હતી, પરંતુ એમના અંતરાત્માની આ ઉજળામણ નહોતી જોઈ. એમનો આવો ઉચ્ચત આંતરવૈભવ નહોતો જોયો. ક્રૂર અપરાધી પ્રત્યે આવો અવિરત કરુણાનો પ્રવાહ વહેતો નહોતો જોયો. જીવનપર્યત જેમણે મગધ સમ્રાટનું સિંહાસન શોભાવ્યું હતું. અદ્દભુત માનસન્માન મેળવેલું હતું. તેમને કારાવાસનો કંટાળો નથી! કારાવાસની અકળામણ નથી.'
હે માતા! રોજ હું કારાવાસમાં જાઉં છું. મેં એમની આંખોમાં વિષાદ નથી જોયો. તેમના મુખ ઉપર કકળાટ નથી જોયો. હું આશ્વાસનના બે શબ્દ કહું તો તેઓ ગંભીરતાથી સાંભળી લે છે. તેમના મુખમાંથી “વીર... વિર... મહાવીર.. મહાવીર..’ શબ્દો સરતા રહે છે.'
સલમા આ બધું સાંભળીને હર્ષવિભોર થઈ જાય છે. એ શ્રેણિકને ધન્યવાદ આપતી ગાઈ ઊઠે છે :
ઓ રાજનું, તમને મારાં વંદન કારાવાસમાં પણ કરતા નથી કંદન અપરાધીનું પણ નથી ચાહતા નિકંદન સળગીને પણ સુગંધ આપે છે ચંદન. વીર પ્રભુના તમે અતિ પ્યારા. પામશો ભવસાગરના કિનારા, સુખ-દુઃખમાં તમે રાખી છે સમતા, પુત્રના જ હાથે તમે કષ્ટોને સહતા. કર્મોના સિદ્ધાન્તને અનુસરતા. તમે દુનિયાને વીસરતા, બનશો તીર્થકર શિવ કરતા ધન્ય! ધન્ય! શ્રેણિક! વીર ભજતા..
એક દિવસે સાંભળવા મળ્યું કે મહારાજા શ્રેણિકે કારાવાસમાં સ્વયં જ તાલપુટ વિષ ખાઈને મોત વહાલું કરી લીધું. મહારાજા પ્રત્યે અપાર શ્રદ્ધા અને માન ધરાવતા હજારો પ્રજાજનોએ આક્રંદ કર્યું. ભોજન ન કર્યું. મહારાણી ચેલણાના કલ્પાંતનો પાર ન રહ્યો. સુલસા ચલણા પાસે
સુલસી
૧૮૫
For Private And Personal Use Only