________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજગૃહીના રાજમહેલમાં મહારાજા શ્રેણિકની અતિપ્રિય મહારાણી ચેલણા અસ્વસ્થ છે. એના મનમાં ધમાસણ મચ્યું છે. અભયકુમારે દીક્ષા લીધી છે અને રાણી નંદાએ પણ દીક્ષા લઈ લીધી છે. બીજી પણ રાણીઓએ અને રાજકુમારોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી છે. હવે આ મહેલમાં મહારાજા છે, અને હું છું. મારા પુત્રો કોણિક અને હલ્લ-વિહલ્લ છે. કાળ, મહાકાળ વગેરે દશ રાજકુમારો અને એમની માતાઓ છે. અભયકુમારના સંસારત્યાગ પછી મહારાજા ઊંડા વિચારોમાં ખોવાયેલા રહે છે. તેમને હવે વૃદ્ધત્વ પણ સ્પર્શી ગયું છે. મનોમન કોઈ નિર્ણય કરીને, તેમણે મારા બે પુત્રો હલ્લ-વિહલ્લને અઢાર ચક્રનો હાર અને સેચેનક હાથી આપ્યો છે. મહારાણી નંદાએ પણ હલ્લ-વિહલ્લને બે દિવ્ય કુંડળ અને બે દિવ્ય વસ્ત્રો આપ્યાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેર્ચનક હાથી ઉપર બેસીને હલ્લ-વિહલ્લ રાજગૃહીના રાજમાર્ગો ઉપર આનંદ અનુભવતા ફરે છે. કોણિકની પત્ની પ્રભાવતીને આ ગમતું નથી. એ કોણિકને કહે છે : 'તમે તમારા ભાઈઓ પાસેથી સેચનક હાથી લઈ લો...’ આગ્રહ કરે છે. આ અને બીજી ઘણી વાતો મારા મનના સમાધાન માટે કહેવી છે. માણસ પોતાનું મન મોકળું કર્યા વિના હળવોફૂલ થઈ શકતો નથી. આથી જ હું મારી વાતો મોકળે મને કહેવા ઇચ્છું છું. કોને કહું? મારી માતા સમાન અને ગંભીર પ્રકૃતિની સુલસાને મારી વાતો કહું. મારા મનમાં કેટલાક ભય પણ છે...કેટલીક વ્યથાઓ પણ છે. અનેકવિધ લાગણીઓને કંપાવતો સંગ્રામ છે.
ચેલણાએ પોતાની અંગત દાસીને સુલસા પાસે મોકલી. આમેય ચેલણાનો સુલસા સાથે આત્મીય સંબંધ હતો. સુલસાના ૩૨ પુત્રોને એણે જોયા હતા અને મહારાજાની રક્ષા કરતા તેઓએ પોતાનાં પ્રાણોની આહુતિ આપી હતી. એ પુત્રોના કારણે જ ચેલણા શ્રેણિક સાથે રાજગૃહીમાં રાણી બનીને આવી હતી.
સુલસા રાજમહેલમાં આવી. ચેલણાએ સુલસાનો ચરણસ્પર્શ કર્યો અને એ બંને ચેલણાના શયનખંડમાં જઈને બેઠાં. દરવાજો બંધ કરી બહાર બે દાસીઓને બેસાડી દીધી.
૧૮૦
સુલસાએ પૂછ્યું : ‘કેમ અચાનક બોલાવી?’
‘માતા, મહેલમાં કોઈ ભૂત ધૂણતું હોય એવું મને લાગે છે. ચારે બાજુ
ભયના ઓળા દેખાય છે. મારી આંતરિક વ્યથાનો પાર નથી. મારી બધી
For Private And Personal Use Only
સુલસા