________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે.'
ભગવંત! અમે એમનાં દર્શન કરવા જઈ શકીએ? જઈ શકો છો. એ મહામુનિના ધ્યાનમાં વિક્ષેપ ન પડે એ રીતે...” શ્રેણિકનું હૃદય તો એ મહામુનિનાં દર્શન-વંદન માટે અધીરું બની ગયું હતું. રાણી ચેલણા, સલસા વગેરે શ્રાવિકાઓ પણ એ મહામુનિનાં દર્શન કરી પાવન બનવા તત્પર બની ગઈ હતી. સહુ વૈભારગિરિ ઉપર પહોંચ્યાં.
મુનિને શોધતાં વાર લાગી. પણ પ્રભુએ મુનિનું જેવું વર્ણન કર્યું હતું તેવા જ મુનિને દીઠા. હૃદય ગદ્ગદ્ થઈ ગયાં. આંખો હર્ષના આંસુઓથી ઊભરાઈ ગઈ. પુનઃ પુનઃ વંદના કરી, સ્તવના કરી. સુલતા આંખો બંધ કરી શ્રેણિક પાછળ બેસી સ્તુતિ કરવા લાગી :
તમે એક જ મહામુનિ પ્રભુના હૃદયે વસ્યા... પ્રભુએ તમારા ગુણ ગાયા અને અમે સહુ અહીં ધસ્યાં... હે મહાશ્રમણ! તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી? તમે કાયાની માયા તોડી પ્રભુ સાથે પ્રીતિ જોડી લોહી-માંસ સૂકવીને આત્માની જ્યોતિ જગાડી.. હે મહાશ્રમણી તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી? તમે થયા મુક્તિની નિકટ અમે રહ્યા સંસારે નિપટ અણુ અણુમાં અમારે કપટ તમે ચર્ચા કર્મોના પટ હે મહાશ્રમણ! તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી? તમે માણી રહ્યા પરમાનન્દ,
૧૭
અલસા
For Private And Personal Use Only