________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે માણીએ વિષયાનન્દ કરો કૃપા મળે પૂર્ણાનન્દ સર્વ જીવો પામે સદા આનન્દ હે મહાશ્રમણા તમારી શી પ્રશંસા કરવી? શી સ્તવના કરવી?
વંદના, સ્તવના કરી સહુ પાછા ગુણશીલ ચૈત્યમાં આવ્યાં. ત્યાં તો સમવસરણમાં બે મુનિવરોએ આવીને સમાચાર આપ્યા કે “ધન્ના અણગારનું અનશન પૂર્ણ થયું છે. તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.'
શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું : “ભગવંત, એ મહામુનિ કાળધર્મ પામીને ક્યાં ઉત્પન્ન થયા છે?’
ગૌતમ, અનુત્તર દેવલોકમાં “સર્વાર્થસિદ્ધ' નામના વિમાનમાં દેવ થયા છે. ત્યાં તે આત્મા વીતરાગ જેવી સ્થિતિમાં રહેશે. આયુષ્ય પૂર્ણ થશે એટલે એ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે. ત્યાંથી ચારિત્રધર્મ પાળી, સર્વ કર્મોનો નાશ કરી એ મોક્ષમાં જશે!'
ભગવાને ધન્ના અણગારનું ભવિષ્ય ભાખ્યું. સાંભળનારાઓના રોમેરોમ વિકસ્વર થઈ ગયા. સહુ શ્રોતાઓનાં મુખે ધન્ના અણગારની સાધનાની પ્રશંસા સરતી હતી. ભગવાનના ૧૪ હજાર શિષ્યોમાં શ્રેષ્ઠતમ શ્રમણ તરીકે પ્રભુએ જેમની પ્રશંસા કરી હતી, તે મહામુનિ પ્રત્યે સહુનાં મન મુગ્ધ બની ગયાં.
સુલતા પોતાના ઘેર આવી. નાગ સારથિને કુશળ પૃચ્છા કરી, તે પાસે બેઠી. આમે ય નાગ સારથિ ઓછું બોલતા હતા. જ્યારથી પુત્રોનું મૃત્યુ થયું અને પુત્રવધૂઓએ ચારિત્ર લીધું, ત્યારથી નાગ સારથિ વધુ ગંભીર રહેતા હતા. એ ગંભીરતામાં વિષાદ ઘોળાયેલો હતો. સુલસા અવાર-નવાર પ્રભુ વિરનાં વચનો ખૂબ પ્રેમથી સંભળાવતી. એમના ચિત્તને શાતા મળતી. સુલતા
સ્વયં નાગ સારથિની સેવા કરતી. એમના તન-મનને પ્રકૃલ્લિત રાખવા પ્રયત્ન કરતી. એ જાણતી હતી કે નાગને એના પ્રત્યે તીવ્ર અનુરાગ છે અને
જ્યાં અનુરાગ હોય ત્યાં અપેક્ષાઓ હોય જ. પતિની દરેક અપેક્ષાને સારી રીતે તે પૂર્ણ કરતી. પતિને એ દેવતુલ્ય માનીને, એમની સાથે વ્યવહાર કરતી.
સુલાસા
૧૭.
For Private And Personal Use Only