________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ બેટી, માંડીને વાત તો કર...કેવી રીતે તેઓ વૈરાગી થયા? મારી ભૂલના કારણે!” તારી ભૂલ?'
હા, મારી મા, તેમને અમે આઠય પત્નીઓ સ્નાન કરાવતી હતી. એમને ઠંડા પાણીથી સ્નાન કરવું ગમે છે. એટલે ઠંડા પાણીથી સ્નાનવિધિ ચાલતી હતી. ત્યાં મને મારો ભાઈ યાદ આવી ગયો. “એ બત્રીસ પત્નીઓનો અને વિપુલ ભોગસુખોનો ત્યાગ કરી દીક્ષા લેવાનો છે.” એ વિચાર આવતાં મારી આંખોમાં આંસુ ઊભરાયાં, અને એ ગરમ ગરમ આંસુનાં બિંદુ એમના શરીર પર પડ્યાં...તરત એમણે ઉપર જોયું. મારી આંખમાં આંસુ જોઈ એ ભડકી ગયા...'
કેમ રડે છે?' તેમણે પૂછ્યું.
મારો ભાઈ શાલિભદ્ર વૈરાગી થયો છે. રોજ એક-એક પત્નીનો ત્યાગ કરે છે. પછી એ દીક્ષા લેશે...!'
તાર ભાઈ શિયાળ જેવો બીકણ, નિ:સત્ત્વ અને કાયર છે! એક-એક પત્ની શા માટે છોડવાની? છોડવી હોય તો બધી એકસાથે છોડવી જોઈએ.”
ત્યારે મારી બીજી શોક્યોએ હસતાં હસતાં કહ્યું : “હે નાથ! જો દીક્ષા લેવી સહેલી છે તો તમે કેમ નથી લેતા?'
એમ છે? મને દીક્ષા લેવામાં તમે આઠ પત્નીઓ વિઘ્નરૂપ લાગતી હતી. આજે તમે અનુકૂળ બની છો તો હવે હું જરાય વિલંબ કર્યા વિના દીક્ષા લઈશ.' તેઓ ઊભા થઈ ગયા. સ્નાનવિધિ પતી ગઈ.
અમે આઠેય પત્નીઓએ કહ્યું : “હે પ્રાણેશ! અમે તો માત્ર ઉપહાસ કરતી હતી. નારાજ ન થાઓ. એમ કંઈ દીક્ષા ના લેવાય.'
તેમણે સૌમ્ય સ્વરમાં કહ્યું : “હું સમજું છું કે પુત્ર-પત્ની-પરિવાર અને ધન-સંપત્તિ-સંબંધો. બધું જ અનિત્ય છે. ત્યાગ કરવા યોગ્ય જ છે. માટે હું દીક્ષા લેવાનો જ!'
અમે આય સ્ત્રીઓએ પણ કહ્યું : “જો આપ દીક્ષા લેશો તો અમે પણ દીક્ષા લઈશ!' તેમણે કહ્યું : “ભલે! તમે પણ પ્રભુ વીરનું શરણ લો.' ભદ્રાએ પૂછયું : “બેટી, શું તમે સહુ સાથે ચારિત્ર ગ્રહણ કરશો?' હા, મા! પ્રભુ વીર વૈભારગિરિ ઉપર સમવસર્યા છે એવા સમાચાર
૧૬ર
લસા
For Private And Personal Use Only