________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ની સુલસા છું.” મહારાજા શ્રેણિકના મુખે તમારા અને તમારા પુત્ર શાલિભદ્રનાં ગુણગાન સાંભળી, મારા મનમાં પ્રમોદ પ્રગટ્યો. હું તમને અને શાલિભદ્રને મળવા આવી છું.'
બહેન, મારો પુત્ર તો વૈરાગી થઈ ગયો છે. એ ગૃહવાસનો ત્યાગ કરવા તત્પર બન્યો છે. એ ગઈકાલે જ એના એક મિત્ર સાથે, બાહ્ય ઉદ્યાનમાં પધારેલા મન:પર્યવજ્ઞાની સાક્ષાત્ ધર્મસ્વરૂપ ધર્મઘોષ નામના મુનિવરને વંદન કરવા ગયો હતો. વર્ષો પછી એ પહેલી જ વાર હવેલીની બહાર નીકળ્યો હતો. રથમાંથી ઊતરી એ આચાર્યદેવ પાસે ગયો. તેમને વંદન કરી, બીજા ત્યાં બિરાજમાન સાધુઓને પણ વંદન કરી સૂરિદેવની સામે જઈ વિનયપૂર્વક બેઠો. તેણે વિનયથી પ્રશ્ન પૂછયો :
ગુરુદેવ, રાજાનું સ્વામીપણું ન જોઈતું હોય તો મારે શું કરવું જોઈએ?' “હે વત્સ, જેઓ ચારિત્રધર્મ સ્વીકારે છે તેમના કોઈ સ્વામી નથી હોતા. રાજા પણ એમને વંદે છે!”
તો પછી હું ઘેર જઈ, મારી માતાની અનુમતિ લઈ દીક્ષા ગ્રહણ કરીશ.”
એમ કહી શાલિભદ્ર ઘેર આવ્યો અને મારાં ચરણોમાં પ્રણામ કરી મને કહેવા લાગ્યો : “હે માતા, આજે મેં ધર્મર્દોષ નામના આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળ્યો. સંસારનાં સર્વ દુઃખોથી મુક્ત થવા માટે ધર્મનું જ શરણ લેવું જોઈએ, માટે મારી ઇચ્છા ચારિત્રધર્મ લેવાની છે.'
પુત્રની વાત સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ. મારા હોઠ થરથરી ઊડ્યા. છતાં હૃદયને દઢ કરી મેં પુત્રને કહ્યું : “વત્સ, વ્રત લેવાનો તારો સંકલ્પ સારો છે. તું એવા પિતાનો પુત્ર છે કે જે પિતાએ પણ પ્રભુ વીરની પાસે દીક્ષા લીધી હતી. પરંતુ બેટા, ચારિત્રજીવન એટલે લોઢાના ચણા ચાવવાના છે! તારું શરીર સુકોમળ છે. દિવ્ય ભોગો ભોગવેલા છે. તે ચારિત્રધર્મનું કઠોર અને ઉગ્ર પાલન કેવી રીતે કરી શકીશ?'
શાલિભદ્રે કહ્યું : “હે મારી મા, જે ભોગી પુરુષ ભાગી ન થઈ શકે તે કાયર કહેવાય. બધા ભોગી પુરુષો કાયર નથી હોતા. હું સંયમધર્મનાં કષ્ટો સમતાથી સહન કરી શકીશ.'
મેં કહ્યું : “વત્સ, જો તારે દીક્ષા લેવી જ હોય તો ધીરે ધીરે ભોગોનો ત્યાગ કર. અણગમતા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભ્યાસ કર...'
૧૯o
સુલતા
For Private And Personal Use Only