________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું. શ્રેણિકે શ્રમ દૂર કરી, પાણી પીધું અને કહ્યું :
દેવી! આજે અભુત અનુભવ થયો. મને ભદ્રા શેઠાણીનું આમંત્રણ મળ્યું. હું ત્યાં ગયો. અભયકુમાર મારી સાથે હતો.
બહુ જ થોડા સમયમાં એ ભદ્રાએ રાજમહેલથી એની હવેલી સુધીનો રાજમાર્ગ શણગારી દીધો હતો! માર્ગ ઉપર સુગંધી જલનો છંટકાવ થયેલો હતો. ઠેર ઠેર સુંદર આકર્ષક તોરણો બંધાયેલાં હતાં. વિવિધ વાજિંત્રો વાગી રહ્યાં હતાં. અમે એની હવેલીમાં પ્રવેશ્યા ત્યાં સોનાના થાંભલા ઉપર ઇંદ્રનીલમણિનાં તોરણ ઝૂલતાં હતાં. મુખ્ય દ્વારની આગળ મોતીના સાથિયા રચેલા હતા. સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રોના ચંદરવા બાંધેલા હતા. આખી હવેલી સુગંધથી મઘમઘી રહી હતી.
ભદ્રા શેઠાણીએ અમારું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું. અમને એ હવેલીના ચોથા માળે લઈ ગઈ. ત્યાં અમને કહ્યું :
મહારાજા, આ સિંહાસન પર બિરાજો. હું મારા પુત્ર શાલિભદ્રને બોલાવવા સાતમા માળે જઈને આવું.”
જ્યારે તે પાછી આવી ત્યારે તેને એકલી જ જઈને મેં પૂછયું : “ભદ્ર, પુત્ર ન આવ્યો કે?’
મહારાજા, ક્ષમા કરજો, પણ મેં એને કહ્યું કે વત્સ! મહારાજા શ્રેણિક આપણા ઘરે આવ્યા છે. એમને જોવા નું ચોથે માળ આવ.” ત્યારે એણે મને કહ્યું: “માતા એ બાબતમાં તમે બધું જાણો છો. માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપી દો. મારે ત્યાં આવીને શું કરવું છે?' મેં કહ્યું : “વત્સ, શ્રેણિક એ કોઈ ખરીદવાની વસ્તુ નથી, તેઓ તો આ દેશની પ્રજાના અને તારા-મારા સ્વામી છે! રાજા છે!'
મા, મારો પણ કોઈ સ્વામી છે? માલિક છે? તો પછી મારા આ વિપુલ ઐશ્વર્યનો અર્થ શો? એવા ઐશ્વર્યને હું ધિક્કારું છું મા...! આવા પરાધીન ભોગસુખો મને ના ખપે. હું તો મારા પિતાના માર્ગે જઈશ. પ્રભુ વીરનાં ચરણોમાં ચારિત્રધર્મ સ્વીકારીશ.'
વત્સ, પછી તારે જે કરવું હોય તે કરજે...હમણાં તો તું નીચે આવીને મહારાજાને મળ.’
હું તો ભદ્રાની વાત સાંભળીને અવાક થઈ ગયો! હું આગળ કંઈ વિચારું ત્યાં તો દેવકુમાર સદૃશ શાલિભદ્ર એની રંભા-ઉર્વશી જેવી બત્રીસ પત્નીઓ
૧૫૮
સુલાસા
For Private And Personal Use Only