________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહારાજા! મૂલ્ય છે એક કંબલનું સવા લાખ રૂપિયા!'
ના ભાઈ, આટલી મોંઘી રત્નકંબલ મારે ખરીદવી નથી!' .
વેપારી નિરાશ થઈ ગયો. ‘જે દેશનો રાજા મારી રત્નકંબલ નથી ખરીદી શકર્તા, તો પછી એ દેશની પ્રજા તો ખરીદે જ શાની?’
પરંતુ રાજમાર્ગ પરથી નિરાશ વદને ચાલ્યા જતા ૫રદેશીને શાલિભદ્રની માતા ભદ્રાએ જોઈ લીધો. દાસી દ્વારા તેને બોલાવ્યો. તેની બત્રીસે બત્રીસ રત્નકંબલો ખરીદી લીધી. મૂલ્ય આપી દીધું. વેપારી ધર્મશાળામાં ચાલ્યો ગયો.
રાજમહેલમાં રાણી ચેલણાએ રત્નકંબલની માંગણી કરી. રાજાએ વેપારીને શોધી, બોલાવી લાવવા સેવકોને મોકલ્યા. વેપારી આવ્યો. રાજાએ કહ્યું : ‘ભાઈ, મને એક રત્નકંબલ આપ...'
‘મહારાજા, મારી બધી જ રત્નકંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી છે!' મહારાજાએ પોતાના એક અંગત અનુચરને સવા લાખ રૂપિયા આપી ભદ્રા શેઠાણી પાસે મોકલ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રાએ કહ્યું : ‘એ રત્નકંબલો તો મેં મારા પુત્ર શાલિભદ્રની બત્રીસ પત્નીઓને પગ લૂછવા માટે આપી દીધી છે. એના ટુકડા થઈ ગયા છે!'
અનુચરે મહારાજાને વાત કરી. રાણી ચેલણાએ કટાક્ષની ભાષામાં સંભળાવ્યું: ‘જુઓ! તમારામાં અને એ વિણક સ્ત્રીમાં પિત્તળ અને સુવર્ણ જેટલું અંતર નથી?' રાણીને રીસ ચઢી.
મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. ‘મારા નગરમાં આવા શ્રીમંત વસે છે કે જેમની સ્ત્રીઓ રત્નકંબલોથી પગ સાફ કરે છે! મારે એ શાલિભદ્રને મળવું પડશે. હું એને બોલાવું!'
અનુચર શાલિભદ્રને બોલાવવા ગયો. પરંતુ ભદ્રા શેઠાણીએ વિનયથી કહેવરાવ્યું કે, ‘શાલિભદ્ર હવેલીની બહાર નીકળતો જ નથી. માટે મહારાજા સ્વયં મારી હવેલીને પાવન કરે! મારા આતિથ્યનો સ્વીકાર કરે.'
بها
સુલસા
શાલિભદ્રની હવેલીથી જ્યારે શ્રેણિક રાજમહેલમાં પાછા આવ્યા, ત્યારે ચેલણા રાણીની પાસે સુલસા પણ બેઠી હતી. ચેલણાએ સુલસાને બોલાવી હતી. શ્રેણિક આવતાં બંને સ્ત્રીઓ ઊભી થઈ. મહારાજાને પ્રણામ કર્યાં. મહારાજા સિંહાસન પર બેઠા. દાસીએ સોનાના પ્યાલામાં શીતલ પાણી
For Private And Personal Use Only
૧૫૭