________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત
,
૧
.
૪
૭.
પ્રભુ વીરનાં પાવન પગલાં રાજગૃહીમાં પડે છે અને રાજગૃહીના રાજમાર્ગો અને ગલી-ગલી ત્યાગ અને વૈરાગ્યનાં તોરણોથી શોભી ઊઠે છે. જ્ઞાન અને ધ્યાનના મધુર સૂરો ગુંજી ઊઠે છે.
પોતાના પુત્ર શાલિભદ્રને ભણાવી-ગણાવી, ખાનદાન અને શ્રીમંત ઘરોની અપ્સરા જેવી બત્રીસ કન્યાઓ પરણાવીને, ગોભદ્ર શેઠ, ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. આવા તો અનેક શ્રીમંત, ધીમંત અને બલવંત પુરુષ ભગવાનનાં ચરણે ચારિત્રધર્મ સ્વીકારતા હતા, આત્મકલ્યાણ સાધી સ્વર્ગમાં કે મોક્ષમાં જતા હતા. આ સામાન્ય વાત હતી. પરંતુ ગોભદ્ર મુનિ વિધિપૂર્વક અનશન કરી દેવલોકમાં દેવ થયા. દેવ થયા પછી અવધિજ્ઞાનથી તેમણે જોયું: ‘હું ક્યાંથી આવ્યો?' તેમણે જ્ઞાનના આલોકમાં રાજગૃહી જઈ. પોતાની પત્ની ભદ્રાને જોઈ, પુત્ર શાલિભદ્રને જોયો, શાલિભદ્રની બત્રીસ પત્નીઓને જોઈ! જોઈને મમત્વ ઊભરાયું. પ્રેમ છલકાયો. વાત્સલ્ય પ્રગટ્યું. તેઓ રોજ પુત્ર માટે ને પુત્રવધૂઓ માટે દેવલોકમાંથી દિવ્ય વસ્ત્રો, અલંકાર અને પક્વાનો મોકલવા લાગ્યા. રોજેરોજ નવાં નવાં વસ્ત્રો! નવાં નવાં અલંકારો અને નવાં નવાં ભોજન!
શાલિભદ્ર બત્રીસ પત્નીઓ સાથે દેવલોકના ઇન્દ્રની જેમ સુખ ભોગવતો હતો. દુનિયાનો બધો વ્યવહાર માતા ભદ્રા સંભાળતી હતી! રાજ ગૃહમાં આવો એક પરિવાર વસે છે, એની જાણ રાજા શ્રેણિકને ખૂબ મોડી થઈ.
નેપાલથી એક વેપારી બત્રીસ રત્નકંબલો વેચવા માટે રાજગૃહીમાં આવ્યો હતો. રત્નકંબલો મોંધી હતી. તે રાજા શ્રેણિકની પાસે ગયો.
મહારાજા, હું નેપાલથી આવ્યો છું. રત્નકંબલનો વેપારી છું. બત્રીસ રત્નકંબલો છે.”
મૂલ્ય કેટલું? મહિમા શું?’ ગરમીમાં ઠંડક આપે, ટાઢમાં તાપ આપે - આ એનો મહિમા છે.
૧૫૬
સુલાસા
For Private And Personal Use Only