________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધુર મધુર સૂરથી તમે ભુલાવી દો સંસાર!
તનડા મારાને શા શૃંગાર? શા શણગાર? જીવન, મોક્ષમાર્ગ અને મોક્ષને જાણવાના પ્રયાસમાં જ શું મારું આયખું પૂરું થઈ જશે? શું મારામાં સતુ-અસતુનો વિવેક નથી પ્રગટ્યો? આત્મા અને શરીરનું ભેદજ્ઞાન નથી થયું? છતાં મને ચારિત્રજીવન-સંયમમય જીવન જીવવાની પ્રબળ ઇચ્છા કેમ નથી થતી? હું જાણું છું કે ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને અધૂરપને જીવનની મધૂરપ સાથે બહુ ન બને, સાધ્ય અને સાધન તાલ મિલાવતાં નથી એટલે ત્રિતાલ બની જવાય છે. તાલમેલિયા. બની જવાય છે. હજુ મારા મનમાં માંગણીઓ છે? ઇચ્છાઓ છે? અપેક્ષાઓ છે? હું શું વિષાદ અનુભવું છું?
દરેક જીવમાં સારી અને નરસી વૃત્તિઓ એકીસાથે વસેલી હોય છે. આ વૃત્તિઓનું ઘમસાણ અવિરત ચાલ્યા કરે છે. ચિત્ત આ વિવિધ પ્રકારની વૃત્તિઓથી વિક્ષુબ્ધ થતું રહે છે. મારા મનમાં વિકલ્પોનાં કેટલાં બધાં હેન્દ્રો પડેલાં છે? શુભ-અશુભ, સદ્અસદ્, પ્રવૃત્તિ-નિવૃત્તિ, દોસ્તી-દુશમની, રાગવિરાગ, દ્વેષ-કરુણા. આવા કેટલાય વિરોધાભાસી પ્રવાહો ભીતરમાં વહી રહ્યા છે. એક અંશ શાપિત અને અભાગિયો લાગે છે, જ્યારે બીજો અંશ વરદાન મળ્યું હોય એમ સંતોષી અને સભાગી લાગે છે. ક્યારેક એક અંશનું પ્રભુત્વ લાગે છે, ક્યારેક બીજા અંશનું પ્રભુત્વ લાગે છે!
બત્રીસ પુત્રવધૂઓએ પ્રભુ વીરનું શરણ લઈ લીધું. તેઓ શ્રમણી બની ગઈ. એટલે હવે મારા માથે એમના જીવનની ચિંતાનો ભાર ન રહ્યો. પરંતુ આમ તો જિંદગી એટલે ઘટનાઓની પરંપરા જ ને! આપણને મનગમતું બને અને અણગમતું ય બને! મનુષ્યસ્વભાવ એવો છે કે એ વાતવાતમાં રાજી થઈ જાય છે અને વાતવાતમાં નારાજ થઈ જાય છે! કોઈ પરિસ્થિતિ કાયમ નથી રહેતી, સુખ-દુ:ખ આવે છે ને જાય છે. માણસ સુખ ટકાવી રાખવા અને દુઃખ દૂર કરવા મથામણ કરતો રહે છે.
જોકે મારો બહુ મોટો પ્રશ્ન ઉકલી ગયો. આપોઆપ ઉકેલાઈ ગયો. પરંતુ મને એનું પોરસ ન ચઢવું જોઈએ. મારે એમ ન માની લેવું જોઈએ કે હવે જિદગી રેશમની દોરી છે! ના, એ ભ્રમણા હશે. એ રેશમની દોરી ક્યારે કાથીનું રાંઢવું થશે તેની ખબર નથી. જીવનની ઘટમાળમાં ચડતી-પડતી ચાલ્યા કરે છે. મુશ્કેલીથી મુક્ત કોઈની પણ જિંદગી ક્યારેય
સુલાસા
૧૫૩
For Private And Personal Use Only