SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં અદ્ભુત અને અવ્યય સુખ હોય છે. ત્યાં શાશ્વત અવસ્થાન હોય છે. કેવલજ્ઞાનની અખંડ જ્યોતિ પ્રકાશિત રહે છે.' સમવસરણ પૂર્ણ થયું. લોકો પોતપોતાના સ્થાને ગયા. મહારાજા શ્રેણિક, અભયકુમાર, નાગ સારથિ, સુલસા અને સુલસાની બત્રીસ પુત્રવધૂઓ ત્યાં બેઠી રહી. ભગવંતે નાગ સારથિને સંબોધીને કહ્યું : હે ભદ્ર! દેવ હોય, દાનવ હોય, દેવેન્દ્ર હોય કે રાજેન્દ્ર હોય, સૌને અંતે મરણને શરણ થવું જ પડે છે. જેનો જન્મ થાય છે, એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. એટલા માટે હે સુશીલ! જે સત્કાર્ય કરવા હોય, જે આત્મકલ્યાણ સાધવું હોય તે આજે જ સાધી લે. આવતીકાલના ભરોસે ન રહીશ. મૃત્યુને કરુણા નથી હોતી, દયા નથી હોતી! તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો અને બલદેવો મૃત્યુના શિકાર બની ગયા છે. ધીરપુરુષ પણ મરે છે ને કાયર મનુષ્ય પણ મરે છે...તો પછી મૃત્યુનો ભય શા માટે રાખવાનો? તારા પુત્રોનું મૃત્યુ થઈ ગયું...એ વાતનું તમને સહુને દુઃખ છે ને? પણ કોના પુત્ર અને કોનાં મા-બાપ? આ સંસારના બધા જ સંબંધો સ્વપ્ન જેવા છે. તમે ભૂલી જાઓ કે એ બત્રીસ તમારા પુત્રો હતા...તમે એમનાં માતા-પિતા અને પત્નીઓ છો! આ તો ભવબજારમાં ભજવાતું નાટક માત્ર છે. આવા સંબંધો જીવે સંસારમાં એકવાર નહીં, અનંતવાર કરેલા છે, તૂટેલા છે...અને એ સંબંધોના લીધે આર્તધ્યાન રૌદ્રધ્યાન કરી તીવ્ર પાપકર્મો બાંધ્યાં છે. મહાનુભાવો! એવી કોઈ કળા નથી, એવું કોઈ ઔષધ નથી કે એવું કોઈ વિજ્ઞાન નથી કે જે મૃત્યુના કાળસર્પના ડંખથી બચાવી શકે! માટે તમે ધર્મનું શરણ સ્વીકારો. મૃત્યુથી બચાવનાર એક માત્ર ધર્મ છે! ધર્માત્મા મરતો નથી. એનો દેહ મરે છે. આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે! આત્મા મરતો નથી. એ આત્માની યાત્રા મોક્ષ સુધી નિરાબાધપણે ચાલતી રહે, તે માટે ધર્મની આરાધના કરવી જોઈએ. સ્વજનો, પરિજનો, વૈભવો અને શરીરનું મમત્વ તોડીને ચારિત્ર ધર્મ અંગીકાર કરવો જોઈએ. ચારિત્ર ધર્મની આરાધનાથી જ પરમાનન્દમય મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં તો પછી સર્વકાળ પૂર્ણાનન્દની જ રમણતા રહે છે. સ્વગુણોની રમણતા જ પૂર્ણાનન્દ આપે છે. અનંત કાળપર્યંત ત્યાં પરમસુખ...પરમાનન્દને માણવાનો છે. માટે સંસારનાં તુચ્છ સુખો પ્રત્યે વિરક્ત બની, સંયમમાર્ગે સુલસા For Private And Personal Use Only ૧૫૧
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy