________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
૧પ
ક
સલા ! સુલસા સ્વભાવે ઋજુ, પ્રેમાળ અને સંવેદનશીલ નારી હતી. વિષાદ જડ માણસોને ન આવે! સંવેદનશીલ માણસોને આવે. સુલસા અભયકુમારને સાંભળે છે. અભયકુમારને પ્રતીતિ કરાવે છે. જીવનમાં મિત્ર બીજું કશું નથી આપી શકતો પણ મિત્રના મનમાં જે કોઈ સાચીખોટી વાત હોય, ઊગે અને આથમે, એ બધી ધ્યાનપૂર્વક સાંભળી લે છે. વિવેકબુદ્ધિથી સમજી લે છે, તો જ. એને સાચું માર્ગદર્શન આપી શકે. તુલસા સભાનપણે નથી પોતાને છેતરતી કે નથી અભયકુમાર જેવા મિત્રને છેતરતી, પણ માણસનું મન એને પોતાને પણ ખબર ન પડે એવું પ્રપંચી હોય છે. કારણ કે મનની સાથે બુદ્ધિ જોડાયેલી હોય છે. તર્ક એ બુદ્ધિની વિષકન્યા છે. બુદ્ધિ અને તર્ક ભેગાં મળીને સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવી શકે છે.
અભયકુમારને સુલસાની બુદ્ધિપૂર્વકની દલીલોને નિર્મળ કરવામાં અને નિર્મળ કરવામાં રસ છે. આમ તો તુલસી બધી સારી સારી વાતો કરે છે. મને હવે પુત્રોમાં રસ નથી, પુત્રવિરહનું દુઃખ નથી. હાટહવેલીનો મોહ નથી.' છતાં એના મનમાં શોક અને સંતાપ હતો. પણ અભયકુમાર એવો અંતર્યામી હતો કે જે શબ્દોની દીવાલ ભેદીને આરપાર જોઈ શકે. સુલતાનું મૂળ પાન તો લીલુંછમ છે, પણ શોકસંતાપને લીધે કાળું પડી ગયું છે. આ કાળા પાનને લીલુંછમ કેમ કરવું એ અભયકુમાર વિચારે છે.
પત્રોના મૃત્યુથી ઉત્પન્ન થયેલો વિષાદ ઊછળીને શમી જાય છે, શમીને પાછો ઊછળે છે. એની ભીતરના આકાશમાં સમકિતનો સૂર્ય છે, એને વિષાદનાં વાદળોથી ઢાંકી દીધો છે. અભયકુમાર એ વાદળને વિખેરવા પ્રયત્ન કરે છે. અભયકુમાર અનેક દ્વન્દ્રોની વચ્ચે સમતુલા જાળવે છે. એ પોતાના પિતાને ભગવાન મહાવીરના સમવસરણમાં લઈ જાય છે,
સુલતા
૧૩૭
For Private And Personal Use Only