________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનાં લોચન વિકસિત થઈ ગયાં. તેણે વૃક્ષો, પર્વતો, કિલ્લો અને સમગ્ર વિશ્વ જેવું હતું તેવું જોયું!
પેલો ઇન્દ્રજાલિક પોતાની કમરે ઢોલકી બાંધી, પોતાના હાથે જોરજોરથી હર્ષિત થઈને વગાડવા લાગ્યો. બોલવા લાગ્યો :
આ હતી એક ઇન્દ્રજાળ! સંસારની માયાજાળ!
કળા બતાવી સંવરેન્દ્ર, વંદન કરું ભાવપૂર્ણ હૈયે.. રાજા પૂછે છે : “આ બધું શું?'
બ્રાહ્મણે કહ્યું : “સર્વ કળાઓના જાણકારની કદર રાજા કરે છે,' એમ સમજીને હું પહેલાં તમારી પાસે આવ્યો હતો. તે વખતે તમે કહેલું - ઇન્દ્રજાળ મતિને ભ્રષ્ટ કરે છે.' એમ કહી મારો તિરસ્કાર કરેલો. તમે મને ધન આપવા માંડેલું પણ તે લીધા વિના ચાલ્યો ગયો હતો. રાજન, ઘણું ધન મળે તો પણ ગુણવાનનો ગુણ મેળવવાનો શ્રમ સાર્થક થતો નથી, પણ તેનો ગુણ જાણવાથી તે સાર્થક થાય છે. માટે, કપટથી નૈમિત્તિક બનીને પણ મેં તમને મારી ઇન્દ્રજાળ બતાવી! તમે પ્રસન્ન થાઓ! મેં તમારા સભાસદોનો જે તિરસ્કાર કર્યો અને ઘણીવાર સુધી તમને ભ્રમણામાં રાખ્યા, તે કૃપા કરી મને માફ કરજો.”
પરમાર્થીને જાણનાર રાજા વિદ્યાપતિએ અમૃતવાણીમાં કહ્યું : “હે વિપ્ર, રાજાનો અને રાજાના સભાસદોનો તે તિરસ્કાર કર્યો છે, એવો તારા મનમાં ભય રાખીશ નહીં. હે મહાનુભાવ! આ ઇન્દ્રજાળ બતાવીને તેં મને સંસારનું સ્વરૂપ સમજાવ્યું છે...' “આ સંસાર ઇન્દ્રજાળ જેવો અસાર છે. જેમ તેં સમુદ્રનું જળ પ્રગટ કર્યું હતું અને તે જોતજોતામાં નાશ પામ્યું, તેવી રીતે સંસારના સર્વે પદાર્થો પ્રગટ થાય છે અને નાશ પામે છે. અહો, આવા ઇન્દ્રજાળ સમા સંસારમાં શું પ્રીતિ કરવી?'
“રાજાએ બ્રાહ્મણનો ધનધાન્યથી સત્કાર કર્યો. વિવિધ પ્રકારે સંસારની નિર્ગુણતા વિચારી અને રાજાએ દીક્ષા લીધી.”
વાત થઇ પૂરી. સુલસા અને બત્રીસ પુત્રવધૂઓ સંસાર પ્રત્યે વિરક્ત બની. સંસારની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો.
અભયકુમાર પોતાના મહેલે ગયા.
૧૩૬
સુલાસા
For Private And Personal Use Only