________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવશે તો આ બળી ગયેલું વૃક્ષ પણ નવપલ્લવિત થશે!” બળદેવ મૌન!
દેવ આગળ વધ્યો. તેણે ગોવાળનું રૂપ કર્યું. મરી ગયેલી ગાયોના મુખમાં દુર્વા ઘાસ નાંખવા લાગ્યો. બળદેવે કહ્યું : “અરે મૂઢ! આ અસ્થિપિંજર બની ગયેલી ગાયો, દુર્વા ઘાસ ખાશે ખરી?”
દેવે કહ્યું : “હે મહાપુરુષ, જો તમારો આ અનુજ બંધુ જીવશે તો આ મરી ગયેલી ગાયો ઘાસ ખાશે!”
બલરામ ગંભીર વિચારમાં પડી ગયા. “શું આ મારો અનુજ બંધુ ખરેખર મૃત્યુ પામ્યો છે? આ બધા જુદા જુદા માણસો મને એકસરખો જ જવાબ આપે છે.
દેવે તરત જ પોતાનું દેવ-સ્વરૂપે પ્રગટ કર્યું અને કહ્યું : “હું તમારો સારથિ સિદ્ધાર્થ છું. દીક્ષા લઈ, મૃત્યુ પામી હું દેવ થયો છું. તમે એ વખતે મને કહેલું કે “તું દેવ થાય તો મને બોધ આપવા આવજે. માટે હું આવ્યો છું.'
બળદેવે કહ્યું : “હે સિદ્ધાર્થ, તમે અહીં આવીને મને જાગ્રત કર્યો, મારી મોહદશા દૂર કરી...તેં બહું સારું કર્યું. પણ મારા લઘુ ભ્રાતાના મૃત્યુથી હું અત્યંત વ્યથિત છું.. સંતપ્ત છું. હું હવે શું કરું? ક્યાં જાઉં?'
સિદ્ધાર્થે કહ્યું : “તમે તો શ્રી નેમિનાથ પ્રભુના વિવેકી ભ્રાતા છો. તમે પ્રભુનાં ચરણે જાઓ. એમનું શરણ સ્વીકારી આત્મકલ્યાણ સાધો.'
હે સિદ્ધાર્થ, તે મને સાચો માર્ગ સુઝાડ્યો.' દેવની સાથે બળદેવ, સિંધુ અને સમુદ્રના સંગમસ્થાને ગયા. ત્યાં કૃષ્ણના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો.
ભગવાન નેમનાથે પોતાના અનંત જ્ઞાનમાં જાણ્યું કે બળદેવ દીક્ષા લેવા તત્પર થયા છે. તેમણે એક આકાશગામી વિદ્યાધર મુનિને બલરામ પાસે મોકલ્યા. બલરામે એમની પાસે દીક્ષા લીધી.
સુલતાની બત્રીસ પુત્રવધૂઓને ઉદ્દેશીને અભયકુમારે કહ્યું : “હે બહેનો, તમારા પતિદેવો, મહારાજા શ્રેણિકની સેવા કરતાં હણાઈ ગયા, તમને વૈધવ્ય આવ્યું, એનું મને ઘણું જ દુઃખ છે. હૃદયમાં વેદના છે. તમારા હૃદયમાં તો પતિ-વિરહનો દાવાનલ સળગી રહ્યો હશે. પરંતુ તમે ઉત્તમ ઘરોમાંથી, સંસ્કારી પરિવારોમાંથી આવેલી સમજદાર પુત્રીઓ છો. ગયેલું કોઈ પાછું આવતું નથી...હવે તો આપણા મનનું તાવિક રીતે સમાધાન કરી લેવાનું છે. એ તમારા ગુણવાન બલવાન અને ધીમાન પતિદેવોની માત્ર સ્મૃતિ જ રહી
૧૩૦
સુલાસા
For Private And Personal Use Only