________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયસરોવર ડહોળાઈ ગયું હતું અને એ એનો બદલો લેવા થનગની રહ્યો હતો! “ચેટકરાજા! તારી વૈશાલીમાં આવીને તારી પુત્રીનું અપહરણ કરી જઈશ! પાછળ આવજે લેવા તારી પુત્રીને!
વહેલી સવારે ૩૩ રથ કોઈપણ જાતના અવરોધ વિના વૈશાલીમાં નક્કી કરેલા સુરંગના નાકે પહોંચી ગયા. જ્યાં સુરંગનું દ્વાર ખૂલતું હતું ત્યાં મોટું મેદાન હતું. મેદાનમાં તેત્રીસ રથ ગોઠવાઈ ગયા. સુરંગના નાકે પહેલો રથ રાજા શ્રેણિકનો ઊભો રહ્યો.
સુજ્યેષ્ઠા અને ચલણા - બંને બહેનો ત્યાં તૈયાર જ ઊભી હતી. ત્યાં પહેલાં ચેલણાને રથમાં બેસાડી, સુજ્યેષ્ઠા રથમાં ચઢવા જાય છે, ત્યાં એને પોતાનાં રત્નાભરણોનો ડબ્બો યાદ આવ્યો. એને ખૂબ પ્રિય અલંકારો લાવવાનું એ ભૂલી ગઈ હતી. એણે શ્રેણિકને કહ્યું : “થોડીવાર થોભો. હું મારા રત્નાલંકારોનો ડબ્બો લઈને જલદી આવું છું.' એ દોડતી રાજ મહેલ તરફ ગઈ.
આ બાજુ તુલસા-પુત્રો કે જેઓ શસ્ત્રસજ્જ અંગરક્ષકો હતા, તેમને ચિંતા થઈ. “વિલંબ થાય છે તે ખોટું છે...' તેમણે મહારાજાને કહ્યું : “મહારાજા, શત્રુના ઘરમાં વધુ રહેવું હિતાવહ નથી. આપણે તો અહીંથી પ્રયાણ કરી દેવું જોઈએ.'
શ્રેણિક સમજ્યા કે રથમાં સુજ્યેષ્ઠા બેસી ગઈ છે, એની બહેન રત્નોનો ડબ્બો લેવા ગઈ છે...ભલે ગઈ...' તેમણે રથને સહુથી આગળ હંકારી મૂક્યો. પવનવેગ શ્વેત અશ્વો પવનની તુલના કરતા દોડવા લાગ્યા. એમની પાછળ બત્રીસ રથ દોડવા લાગ્યા. પાંચ-દસ ક્ષણોમાં તો મેદાન સાવ ખાલી થઈ ગયું. બધા રથ સુરંગના માર્ગે ભાગી રહ્યા હતા.
દોડતી દોડતી સુજ્યેષ્ઠા આવી! પણ ત્યાં તો ખાલી મેદાન હતું! એ સ્તબ્ધ થઈ ગઈ. “અરે હું રહી ગઈ અને ચલણા ચાલી ગઈ...?' પહેલાં તો એ રડી પડી. ભાંગી પડી. તેણે રાજમહેલ તરફ પાગલની જેમ દોડવા માંડ્યું...અને જોરજોરથી પોકારો પાડવા લાગી. “અરે, દોડો દોડો...મારી બહેન ચેલણાનું અપહરણ થઈ ગયું...'
મહારાજા ચેટક દોડી આવ્યા. સુજ્યેષ્ઠા પિતાને વળગી પડી. પ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. “પિતાજી, ચેલણાનું અપહરણ થઈ ગયું...”
બેટી, તું ચિંતા ન કર. હું હમણાં જ પાછળ જાઉં છું ને ચેલણાને પાછી
સુલસા
૧૧૫
For Private And Personal Use Only