________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ક્યા નગરમાં?' ‘રાજગૃહીમાં..” કોની આસપાસ?’
મહારાજા શ્રેણિકની!' ખૂબ ધીમેથી કાનમાં કહ્યું. અને પછી અથથી ઇતિ સુધીની બધી વાત કહી દીધી.
હું પણ તારી સાથે જ આવીશ.” ચેલણાએ મક્કમતાથી, પણ ખૂબ ધીમા સ્વરે કહ્યું.
તું સાથે આવે એમાં હું રાજી છું! તારા વિના મને ગમે નહીં...' બંને બહેનોએ બધી ગુપ્ત તૈયારીઓ કરી લીધી. સંદેશાની રાહ જોવાની હતી.
રાજગૃહીના રાજમહેલના ગુપ્ત મંત્રણાખંડમાં પિતા-પુત્ર ગંભીર વાતો કરી રહ્યા હતા. મગધની સીમા જ્યાં પૂરી થતી હતી ત્યાંથી વૈશાલી સુધી ભૂમિમાર્ગ ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર થતો હતો. એ સુરંગ વૈશાલીના રાજમહેલની ઉત્તર દિશા તરફના ઉજ્જડ ભૂમિભાગમાં ખૂલવાની હતી. અભયકુમારે મહારાજાને સમગ્ર વાત સારી રીતે સમજાવી. સાથે સુલતાના બત્રીસ પુત્રોને અંગરક્ષક તરીકે લઈ જવાનું નક્કી કર્યું. સુલસા-પુત્રો યુવાન, બલિષ્ઠ, બુદ્ધિશાળી, યુદ્ધકુશળ, સાહસિક અને મહારાજા પ્રત્યે અગાધ પ્રેમ ધરાવનારા હતા.
નક્કી એ રીતે કરવામાં આવ્યું કે જતી વખતે સુલતા-પુત્રોના ૩૨ રથ એક પાછળ એક દોડે. છેલ્લો રથ મહારાજાનો ચાલે. વળતી વખતે પહેલો રથ મહારાજાનો રહે અને ૩૨ રથ ક્રમશ: એની પાછળ દોડે. પ્રયાણ રાત્રિના અંધકારમાં કરવાનું. સવારે સૂર્યોદય પૂર્વે વૈશાલી પહોંચી જવાનું. ત્યાં સુજ્યેષ્ઠા નિશ્ચિત જગા પર તૈયાર રહે. જતાંની સાથે જ મહારાજાના રથમાં બેસાડી રથને સુરંગમાં ભગાડવાનો! બધું જ આયોજન અભયકુમારે કર્યું. મગધની સીમા પર એક હજાર ચુનંદા ઘોડેસ્વાર સૈનિકોને ગોઠવવાના. પાછળથી વૈશાલીની સેના આવે તો સીમા પર યુદ્ધ આપી શકાય. મહારાજા સુજ્યેષ્ઠાને લઈ સુખરૂપ રાજગૃહીના રાજમહેલમાં પહોંચી જાય.
થોડા દિવસોમાં તો ભૂગર્ભ રસ્તો તૈયાર થઈ ગયો. એવો રસ્તો કે જેમાંથી રથ પસાર થઈ શકે. રસ્તો તૈયાર થયા પછી અભયકુમાર વૈશાલી સુધી રસ્તો જોઈ આવ્યા. પ્રયાણનો દિવસ નક્કી થયો. સુજ્યેષ્ઠાને આવશ્યક
૧૧૨
સુલાસા
For Private And Personal Use Only