________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી! કોઈ કાર્ય સરળતાથી, ન્યાય-નીતિથી થાય છે, તો કોઈ કામ બુદ્ધિપૂર્વક, કપટથી એટલે કે મુત્સદ્દીગીરીથી થાય. મહારાજા ચેટક આમેય અત્યારે સર્વશ્રેષ્ઠ બળવાન રાજા છે. એમને એમના વંશનું મોટું અભિમાન છે. એટલી સીધી રીતે તો એમની પુત્રી નહીં જ આપે. પરંતુ આપને સુયેષ્ઠા મળશે જરૂર! હું એ માટે પ્રયત્ન કરીશ. આપની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે.” અભયની વાત સાંભળી મિષ્ટ પકવાનો ખાધાનો શ્રેણિકને આનંદ
થયો.
અભયકુમાર પોતાના મહેલમાં ગયો. ખૂબ ગંભીરતાથી વિચારો કર્યા. વૈશાલીના ચેટક મહારાજાને તે સારી રીતે જાણતો હતો. ત્યાં બલપ્રયોગ નહીં, છલપ્રયોગ જ કરવો ઉચિત લાગ્યો. તેણે રાજગૃહના શ્રેષ્ઠ ચિત્રકારને બોલાવી મહારાજા શ્રેણિકનું અતિ રમણીય ચિત્ર બનાવરાવ્યું. કાષ્ઠફલક ઉપરનું એ ચિત્ર અને આવશ્યક દ્રવ્ય, વસ્ત્રાદિ લઈ તેણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું. પરંતુ તે પૂર્વે તે વિપુલ પર્વત ઉપર ગયો. વિપુલ પર્વતની એક ગુફામાં એ પ્રવેશ્યો. એક જટાધારી તેજસ્વી યોગીપુરુષ ત્યાં ધ્યાનસ્થ બેઠા હતા, અભય ચૂપચાપ તેમને નમન કરી જમીન પર બેસી ગયો. યોગીપુરુષે ધ્યાન પૂર્ણ કર્યું. અભયની સામે જોયું. “વત્સ, અત્યારે અહીં આવવાનું કોઈ પ્રયોજન?' “પિતાજીની ઇચ્છા પૂર્ણ કરવા વૈશાલી જવું છે. ત્યાં ઓળખાઈ જવું નથી. એવી ગુટિકા આપો કે જેના પ્રભાવે શરીરનો વર્ણ, કદ અને સ્વર બદલી શકાય!'
યોગીએ પોતાના થેલામાંથી એક ગુટિકા કાઢીને અભયકુમારને આપી અને કહ્યું : “વત્સ, જા, તારા કાર્યમાં તને સફળતા મળશે!! અભયકુમારે યોગીનાં ચરણોમાં પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળી ગયો. પોતાના પાણીદાર અશ્વ ઉપર આરૂઢ થઈ તેણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું.
માર્ગમાં વિચારનો ધોધ મારા મનમાં વહેવા લાગ્યો. “મારા પિતા અને મગધના સમ્રાટ! ભગવાન મહાવીરના પરમ ચાહક..! છતાં એમની વૈષયિક વૃત્તિઓ કેટલી પ્રબળ છે! નંદા, ધારિણી વગેરે અનેક રાણીઓ
૧૦૬
સુલાસા
For Private And Personal Use Only