________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા ચેટક!
એક સુવર્ણજડિત ઊંચા નકશીદાર સિંહાસન પર મહારાજા બેઠા હતા. એમના મસ્તક ઉપર મૂલ્યવાન રત્નજડિત મુગટ હતો. અંગ ઉપર ઝગમગતાં રાજવસ્ત્રો હતાં, ગળામાં માણેક, મોતી, વૈર્યરત્નની માળાઓ ઝૂલતી હતી. એમાંથી ફેંકાતાં પ્રકાશનાં વલયો એમની ભરાવદાર ગરદનની આસપાસ ફેલાયેલાં હતાં. તેઓ સૌમ્ય છતાં તેજસ્વી ચહેરાવાળા હતા. શ્વેત ઉત્તરીયનો એક છેડો એમણે ડાબા ખભાની પાછળ રાખ્યો હતો. એને લીધે ખુલ્લો દેખાતો ગૌર પુષ્ટ હાથ કેળના વૃક્ષના સ્તંભ જેવો ચમકદાર લાગતો હતો. ચહેરો ગોળમટોળ હતો. આંખો શાંત અને ગંભીર હતી.
તેમની પાસે ભદ્રાસન પર મહારાણી પ્રથા બેઠાં હતાં. પૃથા પ્રજ્ઞાવતી તો હતાં જ, સાથે સાથે તેમનામાં રૂપ અને લાવણ્યનો સુભગ સંયોગ થયેલો હતો. મહારાજા ચેટક શ્રાવકધર્મનું પાલન કરતા હતા. તેમને સાત પુત્રીઓ હતી, પરંતુ મહારાજાને કોઈના ય વિવાહ નહીં કરવાની પ્રતિજ્ઞા હતી. એટલે પુત્રીઓના વિવાહ અંગે તેઓ ઉદાસીન ભાવ ધારણ કરતા હતા. પરંતુ મહારાણી પૃથા, આડકતરી રીતે મહારાજાની અનુજ્ઞા લઈ એક-એક પુત્રીને પરણાવતા ગયા.
પહેલી પુત્રી પ્રભાવતીને, વીતભયનગરના રાજા ઉદયન સાથે પરણાવી.
બીજી પુત્રી પદ્માવતીને, ચંપાપતિના રાજા દધિવાહન સાથે પરણાવી. ત્રીજી પુત્રી મૃગાવતીને, કૌશામ્બીના રાજા શતાનિક સાથે પરણાવી. ચોથી પુત્રી શિવાને, ઉજ્જૈનીના રાજ ચંડપ્રદ્યોત સાથે પરણાવી. પાંચમી પુત્રી જ્યેષ્ઠાને, કુડપુરના યુવરાજ નંદીવર્ધન સાથે પરણાવી.
બે પુત્રીઓ સુજ્યેષ્ઠા અને ચેલ્લણા-કુંવારી હતી. બંને રાજ કુમારી એકબીજાથી રૂપ-લાવણ્યમાં ચડિયાતી હતી. બંને બહેનો જાણે દેવી સરસ્વતીનો અવતાર હોય તેવી વિદુષી હતી. સર્વકળાઓમાં કુશળ હતી. બંને બહેનો વચ્ચે પ્રગાઢ પ્રેમ હતો. સાથે જ દેવપૂજા કરતી અને સાથે જ ધર્મશ્રવણ કરતી, સાથે જ ભોજન કરતી ને સાથે જ વિદ્યાવિનોદ કરતી.
એક દિવસ એક અણધારી ઘટના બની ગઈ.
૧૦૨
સલસા
For Private And Personal Use Only