________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
]
૧
જ0
અમારા બત્રીસે બત્રીસ પુત્રોનાં લગ્નની તૈયારી પૂરા વેગથી થવા માંડી હતી. પુત્રો માટે રૂપમાં રંભા અને ઉર્વશી સમાન, સમાન વયવાળી, કુલીન અને ગુણિયલ કન્યાઓ પસંદ કરવામાં આવી હતી. કન્યાઓ પસંદ કરતી વખતે પુત્રોને વગદાર શ્વસુરપક્ષ મળે એની પૂરી સાવચેતી રાખવામાં આવી હતી. કુળ, ગોત્ર, ખાનદાની અને કન્યાઓ - આ બધું નિશ્ચિત થયા પછી લગ્નોત્સવ કેવી રીતે ઊજવવો એની ચર્ચા ચાલી રહી હતી. કોને કોને નિમંત્રણ પાઠવવાં, કેટલા અને કેવા કેવા અતિથિઓ આવશે, તેની પણ ચર્ચા થતી હતી. તેઓના યોગ્ય સ્વાગત-સન્માનની પણ વિચારણા ચાલતી હતી.
મહારાજા શ્રેણિકની પધરામણી અમારી હવેલીમાં કરાવવાની હતી. મગધેશ્વર આંગણે પધારે ત્યારે તેમને યોગ્ય ભેટ-નજરાણું ધરવું જ રહ્યું! અમે પતિ-પત્નીએ ખૂબ ખૂબ વિચારી જોયું. પણ મન માન્યું નહીં. અમે મહામંત્રી અભયકુમારની સલાહ લેવાનું નક્કી કરી, એમના મહેલે ગયાં. એમને લગ્ન પ્રસંગે પધારવાનું આમંત્રણ આપીને પછી મહારાજાને શું નજરાણું ધરવું તે પૂછયું. તેઓએ કહ્યું : “સારથિ! મહારાજાને સુંદર સિહાસન, છત્ર, ચામર અને વિવિધ પ્રકારનાં શસ્ત્રો ભેટ આપો.'
મહામાત્યનો આ વિચાર અમને ગમ્યો. અમારા મિત્રવર્ગને પણ ગમ્યો. અમે તરત શ્રાવસ્તિ, કૌશામ્બી વગેરે નગરોથી કુશળ કારીગરોને તેડાવ્યા. તેમને હવેલીનો એક વિભાગ આપી દીધો. તે માગે તે સામાન આપવા માટે એક કુશળ મિત્રને નિયુક્ત કરી દીધો.
કારીગરો કામ પર બેસી ગયા. દુર્ગથી દૂર રહ્યું રહ્યું આખો દુર્ગ અગ્નિથી, તીરોથી, પાણીથી વ્યાપ્ત કરી શકાય તેવાં વજોની રચના થવા લાગી.
કમરપટાની જેમ વીંટાળી શકાય તેવી તલવારો અને કદમાં નાનાં પણ હાથીનાં ગંડસ્થળને ચીરી નાંખે તેવાં શસ્ત્રોની રચના શરૂ થઈ. કાકિણીરત્ન, ગોમૂત્રિકા, મણિરત્ન વગેરે જૂના સમયનાં અસ્ત્રો પણ નવીન રીતે યોજાવા
સુલાસા
For Private And Personal Use Only