________________
ન ખેતીની હાલત મોટી મોટી ઘોષણાઓ કરતા
રહેવાથી સુધરવાની નથી. - આર્થિક વિશ્લેષક : કમલ નયન કાબરા
દૈનિક ભાસ્કર: તા. ૨૪/૫/૦૦ દર
પાણીના સ્ત્રોતને બંધ કરી દઈને બગીચાને લીલોછમ રાખવાની વાત જો બોગસ જ પુરવાર થાય છે, આવકના સ્ત્રોતને બંધ કરી દઈને શ્રીમંત બની જવાની વાત જો બોગસ જ પુરવાર થાય છે તો પશુઓની બેફામ કતલ કરતા રહીને ખેતીની હાલત સુધારી દેવાની વાત અને ખેડૂતોને આપઘાતના માર્ગેથી પાછા વાળી દેવાની વાત બોગસ જ પુરવાર થવાની છે. પૂછો આ દેશના વડાપ્રધાનને, અન્ન પ્રધાનને અને કૃષિ પ્રધાનને, તમને પશુઓ બચાવવામાં રસ છે? કે પશુઓને કાપતા રહેવામાં રસ છે? આ દેશમાં ગૌશાળા અને પાંજરાપોળો વધુ ને વધુ ખૂલતી રહે એ તમારા પ્રયત્નો છે? કે આ દેશનાં ગામડે ગામડે અને ગલીએ ગલીએ કતલખાનાઓ ખૂલી જાય છે એ દિશામાં તમારા પ્રયાસો છે? જાણી લેવા દો આ દેશના પ્રજાજનોને કે આવતી પંચવર્ષીય યોજનામાં તમે થોડાક રૂપિયાનું હૂંડિયામણ મેળવવા નવાં ૧૦૦ કતલખાનાંઓ ખોલવાનું નક્કી કરી દીધું છે ! તમને પશુઓ બચાવવામાં રસ છે? કે પૈસા બનાવવામાં રસ છે?