________________
બુરાઈ રાજનીતિમાં નથી, લોકોના વિચારમાં છે.
- સ્મૃતિ ઈરાની દૈનિક ભાસ્કર : તા. ૨૪/૫/૦૭
પથ્થરમાં આમે ય ક્યાં બુરાઈ હોય છે? બુરાઈ તો ગુંડાના દિમાગમાં જ હોય છે ને? અને એ પથ્થર જ્યારે ગુંડાના હાથમાં આવી જાય છે ત્યારે કેવો હાહાકાર સર્જાઈ જતો હોય છે, એની તો કોને ખબર નથી એ પ્રશ્ન છે. કોઈ પણ પાર્ટીમાં રહેલો એકાદ રાજનેતા તો આજે એવો બતાડો કે જેને આજના પ્રજાજનો સાચા અર્થમાં હૃદયથી પૂજતા હોય ! એ માન્યતા સાચી છે કે ખોટી, એની મને ખબર નથી પણ આ દેશનો બહુજનવર્ગ આજે એમ માની બેઠો છે કે રાજકારણમાં સારા માણસનું કામ જ નથી. એની સારપ રાજકારણમાં મશ્કરીનું પાત્ર જ બનવાની છે. આનો અર્થ ? આ જ કે સારા વિચારવાળા લોકો રાજકારણમાં આવતા નથી અને હલકટ વિચારસરણીવાળા લોકો રાજકારણમાં દાખલ થયા બાદ રાજકારણ છોડતા જ નથી. રાજકારણીઓએ આ દેશની અત્યારે કરેલ હાલત જોઈ લો. ગાંધીજી આજે જીવતા હોત તો એમણે પોતે આપઘાત કરીને જીવન સમાપ્ત કરી દીધું હોત !