SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ બુરાઈ રાજનીતિમાં નથી, લોકોના વિચારમાં છે. - સ્મૃતિ ઈરાની દૈનિક ભાસ્કર : તા. ૨૪/૫/૦૭ પથ્થરમાં આમે ય ક્યાં બુરાઈ હોય છે? બુરાઈ તો ગુંડાના દિમાગમાં જ હોય છે ને? અને એ પથ્થર જ્યારે ગુંડાના હાથમાં આવી જાય છે ત્યારે કેવો હાહાકાર સર્જાઈ જતો હોય છે, એની તો કોને ખબર નથી એ પ્રશ્ન છે. કોઈ પણ પાર્ટીમાં રહેલો એકાદ રાજનેતા તો આજે એવો બતાડો કે જેને આજના પ્રજાજનો સાચા અર્થમાં હૃદયથી પૂજતા હોય ! એ માન્યતા સાચી છે કે ખોટી, એની મને ખબર નથી પણ આ દેશનો બહુજનવર્ગ આજે એમ માની બેઠો છે કે રાજકારણમાં સારા માણસનું કામ જ નથી. એની સારપ રાજકારણમાં મશ્કરીનું પાત્ર જ બનવાની છે. આનો અર્થ ? આ જ કે સારા વિચારવાળા લોકો રાજકારણમાં આવતા નથી અને હલકટ વિચારસરણીવાળા લોકો રાજકારણમાં દાખલ થયા બાદ રાજકારણ છોડતા જ નથી. રાજકારણીઓએ આ દેશની અત્યારે કરેલ હાલત જોઈ લો. ગાંધીજી આજે જીવતા હોત તો એમણે પોતે આપઘાત કરીને જીવન સમાપ્ત કરી દીધું હોત !
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy